નિર્ભયા મુદ્દે વાચાળ મોદી કઠુઆ-ઉન્નાવ મુદ્દે મૌન

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સગીરા સાથે તથા જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકીની સાથે ગેંગરેપની ઘટના બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
વિપક્ષનો આરોપ છે કે, આ પ્રકારની ઘટનાઓ પ્રત્યે કેન્દ્ર સરકાર ગંભીર નથી, જેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે.
તાજેતરની રેપની ઘટનાઓએ 2012માં નવી દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગરેપની યાદ તાજી કરાવી દીધી છે.
સોશિયલ મીડિયા યૂઝર્સ વર્ષ 2014નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શેર કરી રહ્યા છે, જેમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું, 'નિર્ભયાને ભૂલશો નહીં.'
સોશિયલ મીડિયા યૂઝર્સ સવાલ ઊઠાવી રહ્યા છે કે હવે વડાપ્રધાન મોદી મૌન કેમ છે?

શું હતું મોદીના ટ્વીટમાં?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 29મી એપ્રિલ 2014ના રોજ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું, 'નિર્ભયાને ભૂલશો નહીં.' તેમણે @narendramodi_in હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું.
મોદીએ ટ્વીટમાં લખ્યું હતું, "નિર્ભયાને ભૂલશો નહીં. બેકાર યુવાનોને ભૂલશો નહીં. ખેડૂતોની આત્મહત્યાને ભૂલશો નહીં. દેશના સૈનિકોના માથા કેવી રીતે વાઢી લેવામાં આવ્યા હતા, તે ભૂલશો નહીં."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
મોદી તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને ભાજપ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવાર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
30 એપ્રિલના 9 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશની 89 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

નિર્ભયાકાંડ પછી સ્થિતિ સુધરી?

ઇમેજ સ્રોત, COURTESY FAMILY OF ASIFA BANO
2012માં 23 વર્ષીય ફિઝિયોથેરેપીની વિદ્યાર્થિની પર ગેંગરેપ થયો હતો. મીડિયાએ તેને 'નિર્ભયા' નામ આપ્યું હતું.
લોકોમાં આક્રોશને પગલે સરકારે રેપ-વિરોધી કાયદાને વધુ કડક બનાવ્યા. અમુક કિસ્સાઓમાં દુષ્કર્મીઓને ફાંસીની સજા ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
હવે જાતીય સતામણી અને બળાત્કાર પર લોકો જાહેરમાં કે પરિવાર સાથે ચર્ચા કરતા થયા છે.
જોકે, મહિલાઓ તથા બાળકો સાથે જાતીય દુષ્કર્મની સંખ્યાઓ ઘટી નથી અને સતત વધી રહ્યા છે.

બાળકો સાથે સતામણી

ઇમેજ સ્રોત, NOAH SEELAM/AFP/GETTY IMAGES
- 2016 દરમિયાન 19,765 ચાઇલ્ડ રેપ કેસ પોલીસના ચોપડે નોંધાયા હતા.
- લગભગ 24 કરોડ મહિલાઓ 18 વર્ષની થઈ તે પહેલાં જ તેમનાં લગ્ન કરી દેવાયાં હતાં.
- બાળકોનું શોષણ કરનારા 50 ટકા લોકો 'નજીકના કે જેમની ઉપર ભરોસો મૂકેલો હોય' તેવા હોય છે.
સ્રોત - ભારત સરકાર, યુનિસેફ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












