કોરોના વાઇરસ : 'હું બ્રાહ્મણ છું, મારે તબલીગી જમાતના લોકો સાથે શી લેવાદેવા?'

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આલોક પ્રકાશ પુતુલ
    • પદ, રાયપુરથી બીબીસી ગુજરાતી માટે

દિલ્હીના નિઝામુદ્દીન તબલીગી મરકઝમાંથી છત્તીસગઢ પાછા ફરેલા બાવન લોકોને શોધી કાઢવા માટે 'ગહન તલાશી અભિયાન' શરૂ કરવાનો આદેશ છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યો છે.

નિઝામુદ્દીનના તબલીગી જમાત મરકઝથી કથીત રીતે છત્તીસગઢ પાછા ફરેલા 159 લોકોનાં નામની અરજદારે રજૂ

કરેલી યાદીના આધારે અદાલતે ઉપરોક્ત આદેશ આપ્યો છે. તે 159માં 108 લોકો બિન-મુસ્લિમ છે.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ ગૌતમ ભાદુરીની ખંડપીઠે ગુરુવારે કોવિડ-19 સંબંધી અનેક મામલાઓની એક સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત સુનાવણી કર્યા બાદ ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

કોવિડ-19 સંબંધી અરજીઓની સુનાવણી વખતે અરજદારે અદાલતને એવી માહિતી આપી હતી કે નિઝામુદ્દીનના તબલીગી જમાત મરકઝમાં ભાગ લઈને છત્તીસગઢ પરત આવેલા લોકોની તબીબી તપાસ કરવામાં આવી નથી.

અરજદારના વકીલે અદાલતને જણાવ્યું હતું કે છત્તીસગઢ પાછા ફરેલા તબલીગી જમાતના 159 સભ્યોમાંથી 107 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

એ પૈકીના 87ના રિપોર્ટ મળ્યા છે, 23ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને બાવન લોકોનું પરીક્ષણ થયું નથી.

એ 52 લોકોને કોવિડ-19નો ચેપ લાગ્યો હશે તો તેઓ છત્તીસગઢ વિસ્તારમાં કોવિડ-19ના પ્રસારનું કારણ બની શકે છે.

એ પછી અદાલતે તબલીગી જમાતના ગુમ થયેલા બાવન લોકો માટે 'સઘન તલાશી અભિયાન' શરૂ કરવાનો અને 23 લોકોનાં પરીક્ષણના રિપોર્ટની માહિતી અદાલતને આપવાનો હુકમ કર્યો હતો.

અદાલતના આ આદેશ પછી સાંજ થતાં સુધીમાં સોશિયલ મીડિયા પર યુઝર્સે કથિત રીતે ગુમ થયેલા એ 52 લોકોની શોધના મુદ્દે સરકારને ઘેરવાનું શરૂ કર્યું હતું.

line
કોરોના વાઇરસ
line

159 લોકો પૈકીના 108 બિન-મુસ્લિમ

મોબાઇલ ટાવર લોકેશનને આધારે લોકોનો સંપર્ક હાથ ધરાયો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોબાઇલ ટાવર લોકેશનને આધારે લોકોનો સંપર્ક હાથ ધરાયો

અરજદારના વકીલ ગૌતમ ક્ષેત્રપાલે નિઝામુદ્દીન તબલીગી જમાત મરકઝમાંથી પાછા ફરેલા જે 159 લોકોની યાદી ઉપલબ્ધ કરાવી છે તેમાં 108 લોકો બિન-મુસ્લિમ છે.

એ યાદીમાં બધા લોકોનાં નામ, સરનામાં અને ફોનનંબર નોંધાયેલા છે. એ પૈકીના કેટલાક લોકો સાથે બીબીસીએ વાત કરી હતી.

એ પૈકીના મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે તેમને તબલીગી જમાત કે ઇસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી.

જોકે, તમામ લોકો માર્ચના બીજા અને ત્રીજા સપ્તાહમાં દિલ્હી ગયા હતા અને દિલ્હીથી પાછા ફર્યા બાદ આરોગ્યવિભાગની સૂચના અનુસાર હોમ ક્વોરૅન્ટીનમાં છે.

બિલાસપુરમાં રહેતા શ્રીકુમાર પાંડે (નામ બદલ્યું છે)નું નામ પણ એ યાદીમાં સામેલ છે.

શ્રીકુમાર પાંડેએ બીબીસીને કહ્યું હતું, "હું બ્રાહ્મણ છું. મારે તબલીગી જમાતના લોકો સાથે શી લેવાદેવા?"

"માર્ચમાં હું દિલ્હી જરૂર ગયો હતો, પણ તબલીગી જમાતના મરકઝમાં જવાનો સવાલ જ નથી. જે ટ્રેનમાં હું બિલાસપુર પાછો આવ્યો હતો એ ટ્રેન મેં નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી પકડી હતી. એ સાચું."

"દિલ્હીથી પરત આવ્યા બાદ પોલીસ તથા આરોગ્યવિભાગે મારી તપાસ કરી હતી અને મને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી."

ભારતમાં કોરોના વાઇરસના કેસ

આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 1351153 1049947 35751
આંધ્ર પ્રદેશ 681161 612300 5745
તામિલનાડુ 586397 530708 9383
કર્ણાટક 582458 469750 8641
ઉત્તરાખંડ 390875 331270 5652
ગોવા 273098 240703 5272
પશ્ચિમ બંગાળ 250580 219844 4837
ઓડિશા 212609 177585 866
તેલંગણા 189283 158690 1116
બિહાર 180032 166188 892
કેરળ 179923 121264 698
આસામ 173629 142297 667
હરિયાણા 134623 114576 3431
રાજસ્થાન 130971 109472 1456
હિમાચલ પ્રદેશ 125412 108411 1331
મધ્ય પ્રદેશ 124166 100012 2242
પંજાબ 111375 90345 3284
છત્તીગઢ 108458 74537 877
ઝારખંડ 81417 68603 688
ઉત્તર પ્રદેશ 47502 36646 580
ગુજરાત 32396 27072 407
પુડ્ડુચેરી 26685 21156 515
જમ્મુ-કાશ્મીર 14457 10607 175
ચંદીગઢ 11678 9325 153
મણિપુર 10477 7982 64
લદ્દાખ 4152 3064 58
આંદમાન નિકોબાર 3803 3582 53
દિલ્હી 3015 2836 2
મિઝોરમ 1958 1459 0

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

પોતાના તબલીગી જમાત સાથે કોઈપણ પ્રકારનો સંબંધ હોવાનો રાયપુરનાં જયદીપ કૌરે પણ ઇન્કાર કર્યો હતો.

તેમણે રોષે ભરાઈને કહ્યું હતું, "તબલીગી જમાતનું નામ મેં પહેલીવાર હમણાં ટીવી પર સાંભળ્યું. હું 16 માર્ચે દિલ્હીથી પાછી ફરી હતી અને પોલીસ તથા આરોગ્યવિભાગના લોકોએ મારી તપાસ કરી હતી. તેમણે મને 14 દિવસ ઘરમાં રહેવાની સલાહ આપી હતી અને ત્યારથી હું ઘરમાં જ છું."

દુર્ગના મોહમ્મદ ઝુબૈરે જણાવ્યું હતું કે તેમને તબલીગીઓ સાથે કોઈ સંબંધ નથી અને આ વર્ષે તો શું, તેઓ આખી જિંદગીમાં તબલીગી જમાતના કોઈ કાર્યક્રમમાં સામેલ થયા નથી.

સોશિયલ મીડિયાની તસવીર

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, તબલીગના મરકઝના કારણે કોરોના ફેલાતો હોવાના પૂર્વાગ્રહે મુસ્લિમોની મુશ્કેલી વધારી

રાજ્યના આરોગ્યમંત્રી ટી. એસ. સિંહદેવનું કહેવું છે કે 'અમને મળેલા ફોનનંબરો, જે દિવસોમાં નિઝામુદ્દીનના તબલીગી જમાત મરકઝમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો એ દિવસોમાં નિઝામુદ્દીનના કોઈ એક મોબાઇલ ફોન ટાવરના પ્રભાવક્ષેત્રમાં આવેલા મોબાઇલ ફોનના નંબરો છે.'

જે લોકોના એ નંબર હતા તેમની તકેદારીના ભાગરૂપે તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેમને સાવધાની રાખવા જણાવવામાં આવ્યું હતું.

તેમાં મોટાભાગના લોકો એવા છે કે જેઓ નિઝામુદ્દીનની આસપાસના વિસ્તારમાંથી પસાર થયા હતા અથવા તેમણે નિઝામુદ્દીન રેલવેસ્ટેશનથી ટ્રેન પકડી હતી.

જોકે, આ 159 લોકોની યાદીમાં સામેલ પ્રેમકુમાર સાહુને વાંધો એ છે કે આ યાદીમાંના તમામ લોકોને તબલીગી જમાત સાથે સંબંધ હોય એ રીતે યાદી રજૂ કરવામાં આવી છે.

પ્રેમકુમાર સાહુએ કહ્યું હતું, "આરોગ્યવિભાગ અને પોલીસે અમારા સ્વાસ્થ્ય માટે, અમારા ભલા માટે જ માહિતી એકઠી કરી હતી."

"અમને હોમ આઇસોલેશન ની સલાહ આપી હતી, પણ તેમની પૂછપરછે અમને અમારા મહોલ્લામાં શકમંદ બનાવી દીધા છે."

line

છત્તીસગઢ અને તબલીગી

કરોરોના વાઇરસ અંગે માર્ગચિત્ર પર ગાય

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીમાં માર્ચના અંતિમ સપ્તાહમાં લોકડાઉન દરમિયાન નિઝામુદ્દીનસ્થિત તબલીગી જમાતના વડામથકમાં ફસાયેલા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યાના સમાચાર બહાર આવ્યા એટલે છત્તીસગઠ સરકારે પણ બીજાં રાજ્યોની માફક તબલીગી જમાતની તપાસ શરૂ કરી દીધી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે 31 માર્ચની સાંજે એક ટ્વીટમાં લખ્યું હતું, "છત્તીસગઢ પાછા ફરેલા તબલીગી જમાતના 32 સભ્યોને ક્વોરૅન્ટીનમાં અને 69 સભ્યોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ચવિભાગની એ તમામ પર ચાંપતી નજર છે."

છત્તીસગઢમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ 18 માર્ચે નોંધાયો હતો અને છઠ્ઠી એપ્રિલ સુધીમાં રાજ્યમાં કુલ 10 લોકોને કોરોનાનો ચેપ લાગ્યાનું બહાર આવ્યું હતું.

એ પૈકીના નવ લોકોને સારવાર બાદ અલગ-અલગ દિવસે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

કોરોનાનો એકમાત્ર સંક્રમિત દર્દી 16 વર્ષનો કિશોર છે. તેની સારવાર રાયપુરની ઍઇમ્સમાં ચાલુ હતી.

કોરબા જિલ્લાના કટઘોરા વિસ્તારની એક મસ્જિદમાં રોકાયેલા તબલીગી જમાતના લોકો સાથે રહેતા એ કિશોર સિવાય બાકીના 16 લોકોમાં ચેપના કોઈ લક્ષણ જણાયાં ન હતાં.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે છઠ્ઠી એપ્રિલે રાજ્યમાં તબલીગી જમાતની એક યાદી ટ્વીટ કરતાં લખ્યું હતું:

"સતર્કતા અને સાવધાનીથી મોટું હથિયાર બીજું કોઈ નથી. અમે કોવિડ-19 બાબતે સમયસર કાર્યવાહી કરી. લોકડાઉન સમયસર કર્યો અને તેનો સખ્તાઈપૂર્વક અમલ પણ કરાવ્યો. તેના પરિણામે અમારા બધા ટેસ્ટ્સ નૅગેટિવ મળી રહ્યા છે. આપણે સાથે મળીને આ સંકટનો સામનો કરી શકીએ છીએ."

એ ટ્વીટ સાથેની એક યાદીમાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં તબલીગી જમાતના 107 લોકોની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી. તેમાંથી 83 લોકોનું પરિણામ નૅગેટિવ હતું, જ્યારે 23 લોકોની તપાસના રિપોર્ટ મળવા બાકી છે.

એ યાદીમાં જણાવ્યા અનુસાર, કોરોના પૉઝિટિવનો એકમાત્ર કેસ કોરબા જિલ્લાનો હતો. કોરબા જિલ્લામાં કુલ 47 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તેમાંથી 46ના રિપોર્ટ નૅગેટિવ આવ્યા હતા, જ્યારે 16 વર્ષના એક કિશોરને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું.

આ રિપોર્ટ બાદ તે કિશોર જ્યાં રોકાયો હતો, એ કટઘોરા વિસ્તારમાં લોકોની તબીબી તપાસ કરવામાં આવી હતી.

બુધવારે એ વિસ્તારમાંથી એક અને ગુરુવારે સાત કોરોના પૉઝિટિવ કેસ મળ્યા હતા.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

રાજ્યના આરોગ્ય પ્રધાન ટી. એસ. સિંહદેવે નિષ્ણાતોને ટાંકતા જણાવ્યું હતું કે સંક્રમણની બાબતમાં આપણે (છત્તીસગઢ) એક મહીનો પાછળ છીએ. એ દૃષ્ટિએ એપ્રિલના અંત અને મેના પ્રથમ સપ્તાહમાં સંક્રમણના આવા મામલા વધવાની આશંકા છે. તેને તબલીગી જમાત સાથે કોઈ લેવાદેવા નથી.

ટી. એસ. સિંહદેવે કહ્યું હતું, "ભારત સરકાર પાસેથી પહેલાં 158 લોકોની યાદી આવી હતી. પછી 194 લોકોની યાદી આવી હતી."

"તેમાં જેમના નામ હતા તેમના ફોન નિઝામુદ્દીન આસપાસના મોબાઇલ ટાવરમાંથી લોકેટ કરવામાં આવ્યા હતા."

"તેમાં અનેક લોકો એવા છે, જેમને તબલીગી જમાત સાથે કોઈ લેવાદેવા નથી. યાદીમાંના સાત લોકો છત્તીસગઢ આવ્યા નથી."

"તેમના સિવાયના જે લોકો હતા એ તમામની તબીબી તપાસ કરવામાં આવી છે." "હાઈકોર્ટ સોમવારે આગામી સુનાવણી હાથ ધરવાની છે. એ દિવસે અમે અદાલત સમક્ષ બધી માહિતી રજૂ કરીશું."

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો