મુંબઈમાં ઠેરઠેર ટિફિન પહોંચાડતા ડબ્બાવાળાની સંખ્યા કેમ ઘટી ગઈ?

વીડિયો કૅપ્શન, મુંબઈના ડબ્બાવાળા શા માટે આ કામ છોડી રહ્યા છે?
મુંબઈમાં ઠેરઠેર ટિફિન પહોંચાડતા ડબ્બાવાળાની સંખ્યા કેમ ઘટી ગઈ?

કોરોનાની મહામારીને કારણે દેશભરમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું.

આ ગાળા દરમિયાન મુંબઈની કંપનીઓએ તેના કર્મચારીઓને વર્ક-ફ્રૉમ હોમ આપવાનું શરૂ કરી દીધું અને તેના કારણે મુંબઈમાં ચાલતો પ્રખ્યાત ડબ્બાવાળાઓના ધંધાનો આધાર ભાંગી ગયો. મુંબઈમાં ઑફિસમાં કામ કરતાં લોકોને ટિફિન મળતું હતું.

બાલુ શિંદે એ 20 વર્ષ કરતાં વધુ સમયથી ડબ્બા આપવાનું કામ કરતા હતા, પરંતુ તેમણે એ કામ છોડવું પડ્યું.

2019 સુધી મુંબઈમાં 4,500 ડબ્બાવાલા કામ કરતા હતા, હવે તેમાંથી અંદાજે 1,500 બચ્યા છે. છેલ્લાં છ વર્ષમાં એવું શું બન્યું કે મુંબઈના ડબ્બાવાળાઓને મુશ્કેલી વેઠવી પડી?

મુંબઈ, ડબ્બાવાળા, ટિફિન, મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, BBC/ShahidShaikh

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન