You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાને જ્યાર લાદેનને 'શહીદ' ગણાવ્યો
પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો હતો.
જોકે, આ મામલે ઇમરાન ખાન પાકિસ્તાનની સંસદમાં જ ઘેરાઈ ગયા છે. ઇમરાન ખાનનું આ અંગેનું ભાષણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.
પાકિસ્તાનના વિપક્ષ પીએમએલ-એનના નેતા ખ્વાજા આસિફે નેશનલ ઍસેમ્બલીમાં કહ્યું, “ઇમરાન ખાને ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો. લાદેન આપણી ભૂમિ પર આતંકવાદ લાવ્યો હતો. એ આતંકવાદી હતો અને તમે એને શહીદ કહી રહ્યા છો.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો