ઇમરાન ખાને જ્યાર લાદેનને 'શહીદ' ગણાવ્યો
પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો હતો.
જોકે, આ મામલે ઇમરાન ખાન પાકિસ્તાનની સંસદમાં જ ઘેરાઈ ગયા છે. ઇમરાન ખાનનું આ અંગેનું ભાષણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.
પાકિસ્તાનના વિપક્ષ પીએમએલ-એનના નેતા ખ્વાજા આસિફે નેશનલ ઍસેમ્બલીમાં કહ્યું, “ઇમરાન ખાને ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો. લાદેન આપણી ભૂમિ પર આતંકવાદ લાવ્યો હતો. એ આતંકવાદી હતો અને તમે એને શહીદ કહી રહ્યા છો.”



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો