You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું કોરોના વાઇરસ હવે ગુજરાતમાં વધારે ઝડપથી ફેલાશે?
લૉકડાઉન 4.0 શરૂ થઈ ચૂક્યું છે અને ગુજરાત સરકારે નવેસરથી મળનારી છૂટછાટની જાહેરાત પણ કરી દીધી છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સિટી બસ અને આંતરજિલ્લા એસટી બસ ચલાવવાથી લઈને પાનના ગલ્લા, બજાર અને કૉમ્પલેક્સમાં દુકાનો, હૅર-સલૂનો અને ચાની કીટલી ખોલવાની જાહેરાત કરી દીધી છે.
જોકે, આરોગ્યનિષ્ણાતોનું માનવું છે કે લૉકડાઉનનો હેતુ કોરોના સંક્રમણને ફેલાવાથી રોકવાનો છે ત્યારે છૂટછાટ આપવાથી કોરોનાના સંક્રમણ સામેની લડત નબળી પડી શકે છે.
આ વીડિયોમાં અમે આ જ મુદ્દા પર વધુ પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરશું કે શું ગુજરાતમાં લૉકડાઉનમાં રાહતો આપવાના સરકારના નિર્ણયથી ગુજરાતમાં કોરોનાના પરિસ્થિતિ બેકાબૂ બની જશે?
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે લૉકડાઉન 4.0માં કેન્દ્રીય નિર્દેશોમાં કોઈ ઢીલ રાજ્ય સરકારો નહીં આપી શકે, જો રાજ્ય સરકારો ઇચ્છે તો લૉકડાઉનમાં વધારે કડકાઈ કરી શકે છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો