ગુજરાતમાં લૉકડાઉન અંગે વિજય રૂપાણીએ સુરતમાં શું કહ્યું?

ગુજરાત હાઈકોર્ટે કોરોના કેસમાં વધારો થવાને પગલે ગુજરાત સરકારને લૉકડાઉન સહિત પાબંદીઓ લાગુ કરવા સૂચન કર્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત હાઈકોર્ટે કોરોના કેસમાં વધારો થવાને પગલે ગુજરાત સરકારને લૉકડાઉન સહિત પાબંદીઓ લાગુ કરવા સૂચન કર્યું છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. મંગળવારે કોરોના વાઇરસના કારણે 13 વર્ષના કિશોરનું મૃત્યુ થયું હતું.

કેસમાં સતત વધારો થતા મુખ્ય મંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ મંગળવારે સુરતની મુલાકાત લીધી હતી.

મુખ્ય મંત્રી રુપાણીએ મંત્રીઓ અને અધિકારીઓ સાથે એક મિટિંગ કરી હતી, જેમાં કોરોના વાઇરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કેર વધ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના વાઇરસનો વ્યાપ વધ્યો છે. હાલની પરિસ્થિતિને જોતાં લાગે છે કે હજુ પણ કેસ વધી શકે છે.

''ગુજરાતમાં કોરોના વાઇરસના જેટલા પણ કેસ નોંધાય છે તેમાં 60 ટકા કેસ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નોંધાયા છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છીએ. જે પરિસ્થિતિ છે તેનાથી ભયભીત થવાની જરુર નથી પણ લોકોને સાવચેતી રાખવી પડશે. અમે રસીકરણમાં ઝડપ લાવી રહ્યાં છીએ.''

''હાલમાં રાજ્યમાં દરરોજ 4 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે અને અત્યાર સુધી 70 લાખ લોકોને રસી અપાઈ ગઈ છે. બીજો રાઉન્ડ પણ 40 દિવસની અંદર પતી જાય તે માટેના અમે પ્રયાસ કરી રહ્યાં છે.''

''પહેલાં અમે દરરોજ 60000 ટેસ્ટિંગ કરતા હતા, જે આજે 1.20 લાખ સુધી પહોંચ્યું છે. કોરોના દરદીઓના સંપર્કોને ઓળખવા માટે અમે ટ્રેસિંગ પણ વધારી દીધું છે. કોરોના પૉઝિટીવ દરદીઓની સારવાર માટે 104ની સુવિધા અમલમાં છે. સંજીવની રથોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.''

line

શું મહત્ત્વની જાહેરાત કરી છે?

  • 3 લાખ રેમડેસિવરનો ઓર્ડર આપ્યો છે.
  • બે દિવસમાં રાજ્યમાં રેમડેસિવરની અછત દૂર થશે.
  • સરકારી હૉસ્પિટલોની સાથે-સાથે ખાનગી હૉસ્પિટલોને પણ રેમડેસિવરનો જથ્થો આપવામાં આવશે, જેથી દરદીઓને દવા માટે ભટકવું ન પડે.
  • સુરતમાં ખાનગી હૉસ્પિટલોમાં કોવિડ ટ્રિટમેન્ટ થઈ શકશે.
  • સુરતમાં 50 સંજીવની રથ છે અને બીજા 50 રથની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સુરતમાં કિડની હૉસ્પિટલમાં 800 બૅડનો વધારો કરવામાં આવશે
  • રાજ્ય સરકાર સુરતને 300 નવા વૅન્ટિલેટરો આપશે.
  • સરકારી હૉસ્પિટલોમાં દરદીઓને રેમડેસિવર મફતમાં આપવામાં આવશે.
બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

લૉકડાઉન વિશે શું કહ્યું?

કેસમાં સતત વધારો થતા મુખ્ય મંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ મંગળવારે સુરતની મુલાકાત લીધી હતી.

ઇમેજ સ્રોત, FACEBOOK/VIJAY RUPANI

ઇમેજ કૅપ્શન, કેસમાં સતત વધારો થતા મુખ્ય મંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ મંગળવારે સુરતની મુલાકાત લીધી હતી.

ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની બેન્ચએ મંગળવારના રોજ કોરોનાના વધી રહી રહેલા કેસને ધ્યાનમાં લઈ સરકારની તે માટે શું તૈયારી છે, તે જાણ્યાં બાદ કોવિડની ચેઇન તોડવા માટે 3થી 4 દિવસનો કર્ફ્યુ લાદી શકાય તેવું સૂચન કર્યું છે અને સરકાર આ અંગે શું વિચારે છે તેનો જવાબ રજૂ કરવા કહ્યું છે.

સુરતમાં આ અંગે પૂછતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે હાઇકોર્ટના નિર્ણય અંગે કોર-ગ્રુપ દ્વારા ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. બધા પાસાઓની સમીક્ષા કર્યા બાદ લોકહિતમાં નિર્ણય કરવા માટે વિચારણા કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, ''લોકો ચિંતા ન કરે. સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે કોરોના સામેના સંઘર્ષમાં કોઈ પણ પીછેહઠ થશે નહીં. લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ અમારો અભિગમ છે અને જવાબદારી છે. લોકોને કોરોના વાઇરસનો ચેપ ન લાગે એ અમારી જવાબદારી છે. લોકોમાં હિતમાં અમે નિર્ણય કરીશું.''

વીડિયો કૅપ્શન, સુરતના કામદારોએ સી. આર. પાટીલને શું કહ્યું?
line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો