કોરોના વાઇરસથી સૌથી વધુ જોખમ કયાં, ઘરમાં, બહાર કે ઑફિસમાં?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

બસની લાઇનમાં ઊભેલા કોઈ શખ્સે છીંક ખાધી તો મને કેટલું જોખમ હોઈ શકે? શું મારે રેસ્ટોરાં જવું જોઈએ? મારે પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં?

જે રીતે વિશ્વ લૉકડાઉનમાંથી ધીમી-ધીમે બહાર આવી રહ્યું છે અને આર્થિક હિલચાલ પણ શરૂ થઈ રહી છે, ત્યારે કોરોના વાઇરસનો ચેપ લાગવાનું અને પ્રસરવાનું જોખમ પણ વધી ગયું છે.

આ સાથે જ વાઇરસના ચેપના ફેલાવાની બીજી લહેર આવે એવું જોખમ પણ તોળાઈ રહ્યું છે.

ઇમ્યુનોલૉજિસ્ટ અને બાયૉલૉજીના ઍસોસિએટ પ્રોફેસર ઍરિન બ્રૉમેઝ અમેરિકાની યુનિવર્સિટી ઑફ મૅસાચ્યુસ્ટેસમાં સંક્રમિત બીમારીઓ વિશે ભણાવે છે. તેઓ કોરાના વાઇરસનો પણ ગહન અભ્યાસ કરી રહ્યા છે.

તેમણે કોરોના વાઇરસના જોખમ પર એક બ્લૉગ લખ્યો છે, જેને અંદાજે 1.6 કરોડ વખત વાંચવામાં આવ્યો છે.

સામાન્ય જિંદગીમાં પાછા ફરતી વખતે તમે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકો એ અંગે તેમણે સલાહ આપી છે.

લોકો ક્યાં બીમાર થાય છે? ડૉ. બ્રૉમેઝ કહે છે કે મહત્તમ લોકો પોતાના ઘરમાં પરિવારના કોઈ સભ્ય દ્વારા જ સંક્રમિત થાય છે.

line

કેવી રીતે રહેશો સુરક્ષિત?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પરંતુ ઘરની બહાર સુરક્ષિત કેવી રીતે રહેશો? શું આપણે ગાર્ડનમાં પગપાળા ચાલવા નીકળીએ ત્યારે પણ જોખમ હેઠળ હોઈએ છીએ? શું ફેસ-માસ્ક પહેર્યા સિવાયની કોઈ વ્યક્તિ અજાણતાં જ બીજી કોઈ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે?

પ્રોફેસર કહે છે કે કદાચ એવું ના બને.

તેમણે બીબીસીને જણાવ્યું કે, "જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે ખુલ્લા વાતાવરણમાં એવી ક્ષમતા હોય છે જે શ્વાસ છોડતાંની જ વાઇરસ ઝડપથી નબળો પડી જાય છે."

એવું એટલા માટે બને છે કે કોઈ વાઇરસ તમને સંક્રમિત કરે તેના માટે જેટલો સમય જોઈએ તેટલો સમય તમે ખુલ્લા વાતાવરણમાં નથી રહેતા, કેમ કે વાઇરસ ઝડપથી નિષ્ક્રિય પણ થઈ જતો હોય છે.

તેમણે પોતાની બ્લૉગપોસ્ટમાં લખ્યું, "ચેપ લાગે એ માટે વાઇરસના સંક્રામક વિસ્તારમાં આવવું પડે. મર્સ અને સાર્સના સંક્રામક ડોઝના અધ્યયનના આધારે કેટલાંક અનુમાનથી જાણી શકાય છે કે સંક્રમણને ટકવા માટે ઓછામાં ઓછા 1000 સાર્સ- કોવ2 વાયરલ પાર્ટિકલ્સની જરૂર હોય છે."

આ આંકડો ચર્ચાનો વિષય છે અને પ્રયોગના માધ્યમથી તેને અધિકૃત રીતે પ્રમાણિત કરવો જરૂરી છે.

તેમ છતાં તે એક મહત્ત્વનો સંદર્ભ જણાવે છે જે દર્શાવે છે કે સંક્રમણને કઈ રીતે રોકી શકાય છે.

એટલે એનો અર્થ એ થયો કે આપણે ઓછા સમય માટે સંક્રમિત લોકોના સંપર્કમાં આવીએ તો, ઉદાહરણ તરીકે કોઇ જૉગિંગ કરનારી વ્યક્તિ અજાણતાં બાજુમાંથી પસાર થાય તો, પણ ચેપ લાગવાની શક્યતા ઓછી રહે છે.

line

આવી પરિસ્થિતિમાં આપણે વધુ ચિંતિત થવાની જરૂર છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જે લોકોમાં લક્ષણ દેખાતાં હોય તેમાંનાથી ચોક્ક્સ રીતે તેમની ઉધરસ ખાવાથી કે પછી છીંકવાથી બીમારી ફેલાય છે, પણ તેનો દર અલગઅલગ છે.

એક વાર ઉધરસ ખાવાથી અંદાજે 80 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે 3000 છાંટા ઊડે છે.

ડૉ. બ્રૉમેઝના જણાવ્યા અનુસાર, મહત્તમ પ્રમાણમાં છાંટા મોટા અને ભારે હોય છે એટલે તેનો અર્થ એ થયો કે તે જલદી જ સપાટી પર પડી જાય છે. તેમ છતાં કેટલાક છાંટા હવામાં રહે છે, તો કેટલાક રૂમમાં પણ ઘૂસી શકે છે.

જો તમે લિફ્ટમાં ફસાઈ ગયા હો અને ત્યાં કોઈ વ્યક્તિ શખ્સ ઉધરસ ખાવાને બદલે છીંકી રહી છે તો તમારી મુશ્કેલી દસ ગણી વધી જાય છે.

એક છીંકમાંથી અંદાજે 30,000 છાંટા ઊડે છે. તેમાંથી નાના છાંટા ઘણા દૂર સુધી જાય છે. તેમની સ્પીડ 320 કિમી પ્રતિકલાકની હોય છે.

તેમણે લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ સંક્રમિત હોય તો તેની ઉધરસ અથવા છીંકમાં વાઇરસના 20 કરોડ પાર્ટિકલ્સ હોઈ શકે છે.

એવામાં તે તમારી સમક્ષ બેસીને વાત કરે અને ઉધરસ કે છીંક ખાય તો તમારામાં 1000 વાઇરસ પાર્ટિકલ આરામથી આવી જશે અને તમે સંક્રમિત થઈ જશો.

line

લક્ષણ વગરના સ્પ્રેડર્સ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આપણે જાણીએ છીએ કે લોકોમાં લક્ષણ નજર આવે તેના પાંચ દિવસ પહેલાંથી તેઓ સંક્રમિત હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં તો એવું બને છે કે લક્ષણ નજર જ નથી આવતાં.

એટલે સુધી કે શ્વાસથી પણ વાઇરસના અંશ હવામાં આવી જાય છે, પરંતુ કેટલા પ્રમાણમાં?

ડૉ. બ્રૉમેઝના મત પ્રમાણે, "એક શ્વાસમાંથી 50થી 50,000 છાંટા નીકળે છે. તેમાંથી મહત્તમ છાંટાની ગતિ ધીમી હોય છે એટલે તે સપાટી પર પડી જાય છે."

જ્યારે આપણે નાકથી શ્વાસ લઈએ છીએ ત્યારે તેનાથી પણ ઓછા છાંટા નીકળે છે.

મહત્ત્વની વાત એ છે કે શ્વાસ જોરથી બહાર નથી નીકળતો એટલે નીચલા શ્વસનતંત્રથી વાઇરસ પાર્ટિકલ બહાર નથી નીકળતાં.

આ બાબત એટલા માટે મહત્ત્વની કે શ્વસનતંત્રના આ હિસ્સામાં મળનારા ટિસ્યૂમાં જ કોરોના વાઇરસ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

આપણને નથી ખબર કે શ્વાસ સાથે સાર્સ કોવ-2ના કેટલા વાઇરલ પાર્ટિકલ બહાર આવે છે. પણ ડૉ. બ્રૉમેઝ એક અધ્યયન વિશે જણાવે છે કે ઇન્ફ્લુએન્ઝાથી સંક્રમિત કોઈ દરદી એક મિનિટના શ્વાસમાં 3થી 20 વાઇરસ આરએનએ કોપી બહાર કાઢી શકે છે.

ડૉ. બ્રૉમેઝના પ્રમાણે, બોલવાને લીધે રેસ્પરેટરી છાંટા 10 ગણા વધારે નીકળીને 200 કૉપી વાઇરસ પ્રતિમિનિટ સુધી પહોંચી જાય છે.

ગાવાથી અને બૂમો પાડવાથી છાંટાનું હવામાં પ્રમાણ વધી જાય છે. આ છાંટા એવી જગ્યાએ પણ હોય છે જ્યાંથી ટિસ્યૂના સંક્રમિત થવાનો ભય સૌથી વધુ હોય છે.

કોરોના વાઇરસ
લાઇન

કેવા પ્રકારનો માહોલ જોખમભર્યો છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ચોક્ક્સ એવો વ્યવસાય જેમાં સીધી રીતે સંક્રમિતોના સંપર્કમાં આવવાનું બને છે. તેમને સૌથી પહેલા સંક્રમણનો ભય રહેલો છે.

ડૉ. બ્રૉમેઝ કહે છે કે ઓપન પ્લાન ઑફિસમાં થનારા કાર્યક્રમો, સ્પૉર્ટસ અને સામાજિક મેળાવડા જોખમભરેલાં છે. આ સમયે લોકોનું વાઇરસના સંપર્કમાં આવવાનું જોખમ વધુ હોય છે.

તેઓ કહે છે કે કૉલ-સેન્ટર જેવી જગ્યાઓ પર જો લોકો 50 ફૂટના અંતરે હોય અને વાઇરસનો નાનો ડોઝ લાંબા સમય સુધી જળવાઈ રહે તો તે સંક્રમિત કરવા માટે પર્યાપ્ત હશે.

જેમ-જેમ આપણે કામ પર પાછા વળી રહ્યા છે તેમ-તેમ કેટલાક વ્યવસાયો માટે આ ચિંતાની વાત છે.

હવાની અવરજવરની યોગ્ય વ્યવસ્થા ન હોય તેવી ઓપન પ્લાન ઑફિસ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે.

ડેન્ટિસ્ટ સાથે પણ આ જ લાગુ પડે છે. ડેન્ટિસ્ટને ત્યાં એકસાથે વધુ લોકો નથી હોતા, પણ ત્યાં જોખમનું પ્રમાણ વધુ છે.

તેઓ શિક્ષણના કામ સાથે જોડાયેલા લોકો માટે પણ વધુ જોખમ હોવાનું જણાવે છે.

"ઉંમરવાન શિક્ષકો અને પ્રોફેસરો સાથે યુવા વિદ્યાર્થીઓ પણ એક જ રૂમમાં મોટી સંખ્યામાં હોય છે. તેના પર વિચારવિર્મશ કરવો જોઈએ કે તેમને કેવી રીતે સુરક્ષિત બનાવી શકાય."

line

ઇનડોર અને આઉટડોર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. બ્રૉમેઝ કહે છે કે ખુલ્લા વાતાવરણમાં સંક્રમણના ઘણા ઓછા કેસ જોવા મળ્યા છે.

હવા અને જગ્યા વાઇરલના લોડને ઘટાડી દે છે. સાથે તડકો, ગરમી, આદ્રતા પણ વાઇરસને વધુ સમય જીવંત નથી રહેવા દેતા.

સામાજિક અંતરથી ઓછામાં ઓછું જોખમ હોય છે.

પણ કેટલીક ખાલી જગ્યાઓએ હળવું-મળવું ઘણું જોખમભર્યું હોઈ શકે છે.

લોકોની વાત કરવાની, ગાવાની અથવા બરાડા પાડવાની જગ્યાએ, લોકોથી ઉભરાતા કાર્યક્રમમાં વધુ જોખમ રહેલું છે. સાથે જ બંધ જગ્યાઓએ અંતર જાળવી રાખવાના પ્રયાસો પણ સમય સાથે નબળા પડતા જાય છે.

તેમ છતાં કેટલાક ઇનડોર સંપર્ક પણ જોખમભરેલા હોઈ શકે છે.

સીમિત પ્રમાણમાં હવાની અવરજવર અને રિસાઇકલ્ડ હવા પણ જોખમ ઊભું કરી શકે છે.

પણ શૉપિંગ ઓછી જોખમભરેલી હોઈ શકે છે. ખાસ કરીને સિંગલ માહોલમાં અપેક્ષિત કરતાં ઓછો સમય વિતાવો છો તો.

line

જોખમનું આકલન

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. બ્રૉમેઝ કહે છે કે કોરોનાના પ્રતિબંધ ઓછા થવાની સાથે આપણે જોખમની દૃષ્ટિએ આપણી ગતિવિધિઓનું ગંભીરતાથી આકલન કરવું જોઈએ.

બંધ જગ્યાઓ પર હવાની અવરજવર માટે વિચાર કરવો જોઈએ. એ વિચારવું જોઈએ કે ત્યાં એક જગ્યાએ એક સમયે કેટલા લોકો હાજર રહેશે અને તમે કેટલો સમય સાથે વિતાવશો.

તેઓ કહે છે કે "જો તમે હવાની અવરજવરવાળી જગ્યામાં ઓછા લોકો સાથે બેસો તો તમારા માટે જોખમ ઓછું છે. કોઈ બંધિયાર જગ્યામાં છો તો ગંભીરતા સાથે જોખમનો વિચાર કરવો જોઈએ. અને જો એવા વ્યવસાયમાં હોવ કે જ્યાં સામસામે બેસીને વાત કરવી પડે કે બૂમ પાડવી પડે તો ફરી જોખમનું આકલન કરવું જોઈએ."

ઉદાહરણ તરીકે શૉપિંગ મૉલમાં કોઈ ઓછી ભીડવાળા સ્ટોરમાં છો તો અને ત્યાં હવાની અવરજવર સારી છે તો જોખમ ઓછું છે.

ખુલ્લી જગ્યામાં સંક્રમણનું જોખમ ઓછું હોય છે, કેમ કે છાંટા જલદી સુકાઈ જતાં હોય છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો