You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુંભમેળામાં થયેલો 30 હજાર ટન કચરાનો નિકાલ કેવી રીતે થયો હતો?
કુંભમેળામાં થયેલો 30 હજાર ટન કચરાનો નિકાલ કેવી રીતે થયો હતો?
કુંભમેળો-2025. 4000 હેક્ટરમાં ફેલાયેલો વિશ્વનો સૌથી મોટો મેળો એટલે પ્રયાગરાજનો કુંભમેળો. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં 66 કરોડ શ્રદ્ધાળુ આવ્યા હતા.
અહીં સફાઈ માટે હાજર હતા 15,000 કર્મચારીઓ. લોકોની સગવડતા માટે 1,50,000 ટૉઇલેટ બનાવાયાં હતાં.
આ મેળામાં આવેલા શ્રદ્ધાળુઓને કારણે 30,000 ટન કચરો ભેગો થયો હતો, જે 6500 એશિયાઈ હાથીઓના વજન બરાબર છે.
મેળામાં થયેલી સાફસફાઈએ એક ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ પણ બનાવ્યો હતો. પણ આ 30 હજાર ટન કચરો આખરે ગયો ક્યાં? કેવી રીતે આ કચરાનો નિકાલ કરવામાં આવ્યો?
વિગતે જાણવા માટે જુઓ આ વીડિયો.
અહેવાલ- પુનીત બરનાલા, વિષ્ણુ તિવારી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન