કુંભમેળામાં થયેલો 30 હજાર ટન કચરાનો નિકાલ કેવી રીતે થયો હતો?

વીડિયો કૅપ્શન, Kumbh 2025 : હજારો ટન કચરાનો નિકાલ અહીં કેવી કરવામાં આવે છે?
કુંભમેળામાં થયેલો 30 હજાર ટન કચરાનો નિકાલ કેવી રીતે થયો હતો?

કુંભમેળો-2025. 4000 હેક્ટરમાં ફેલાયેલો વિશ્વનો સૌથી મોટો મેળો એટલે પ્રયાગરાજનો કુંભમેળો. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં 66 કરોડ શ્રદ્ધાળુ આવ્યા હતા.

અહીં સફાઈ માટે હાજર હતા 15,000 કર્મચારીઓ. લોકોની સગવડતા માટે 1,50,000 ટૉઇલેટ બનાવાયાં હતાં.

આ મેળામાં આવેલા શ્રદ્ધાળુઓને કારણે 30,000 ટન કચરો ભેગો થયો હતો, જે 6500 એશિયાઈ હાથીઓના વજન બરાબર છે.

મેળામાં થયેલી સાફસફાઈએ એક ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ પણ બનાવ્યો હતો. પણ આ 30 હજાર ટન કચરો આખરે ગયો ક્યાં? કેવી રીતે આ કચરાનો નિકાલ કરવામાં આવ્યો?

વિગતે જાણવા માટે જુઓ આ વીડિયો.

અહેવાલ- પુનીત બરનાલા, વિષ્ણુ તિવારી.

મહાકુંભ મેળો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન