અમેરિકાથી પરત આવેલા લોકોનાં ગામોમાં કેવો માહોલ છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતનાં જે ગામોમાંથી લોકો ગેરકાયદે US ગયા હતા, તેમનાં ગામોમાં હવે કેવો માહોલ?
અમેરિકાથી પરત આવેલા લોકોનાં ગામોમાં કેવો માહોલ છે?

બુધવારે 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયો સાથેનું અમેરિકાનું સૈન્યવિમાન પંજાબના અમૃતસર ઍરપૉર્ટ ઉપર ઉતર્યું હતું. ત્યાં ઇમિગ્રૅશન, વૅરિફિકેશન તથા અન્ય કાયદેસરની ફૉર્માલિટી બાદ આ લોકો પોત-પોતાનાં ઘરે જવા રવાના થયા હતા.

આમાંથી ગુજરાતીઓને તેમના ઘરે પરત લાવવા રાજ્ય સરકારે ડીવાયએસપી દરજ્જાના અધિકારીને અમૃતસર મોકલ્યા હતા. ગુરૂવારે સવારે તેઓ અમદાવાદ ઍરપૉર્ટ ઉપર ઉતર્યા હતા.

અહીં અલગ-અલગ જિલ્લાની પોલીસવાહન હાજર હતા. વૅરિફિકેશન બાદ તેમને આ વાહનોમાં પોત-પોતાનાં રહેણાંકોએ લઈ જવાયા હતા.

જે લોકોને ગુજરાત પરત મોકલવામાં આવ્યા, તેમાંથી 7 મુસાફર 15 વર્ષથી ઉંમરના છે. ડિપૉર્ટ કરાયેલા લોકોમાં ગાંધીનગરના 13, મહેસાણાના 10, પાટણના ચાર, અમદાવાદના બે, ઉપરાંત ભરૂચ, પાટણ, વડોદરા અને આણંદના રહીશ હોવાના અહેવાલ છે.

બીબીસી ગુજરાતીઓએ અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા આવા કેટલાક લોકોનાં ગામોની મુલાકાત લીધી અને ત્યાં કેવી પરિસ્થિતિ છે, તે જાણવાનો પ્રયાસ કર્યો. જાણો બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

અમેરિકા ડિપોર્ટેશન, ગુજરાતીઓ, અમૃતસર એરપોર્ટ, ડોનાલ્ડ ટ્રમ્પ
ઇમેજ કૅપ્શન, ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓને અમૃતસર ઍરપૉર્ટથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ ખાતે લાવવામાં આવ્યા, તે સમયની તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.