અંગ્રેજોના સમયમાં ખેંચાયેલી વિવાદિત ડુરંડ લાઇન શું છે જ્યાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે ગોળીબાર થયો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ડુરંડ લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન-અફઘાનિસ્તાન બૉર્ડર પર શનિવારે મોડી રાત્રે ગોળીબાર શરૂ થયો હતો. પાકિસ્તાનની સેનાનું કહેવું છે કે આ અથડામણમાં તેના 23 સૈનિક મૃત્યુ પામ્યા છે અને 29 ઘાયલ થયા છે, જ્યારે 200થી વધુ સંદિગ્ધ માર્યા ગયા છે.

જ્યારે તાલિબાનનું કહેવું છે કે આ અથડામણમાં 58 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે અને 30 ઘાયલ થયા છે. તાલિબાને નવ કર્મી મૃત્યુ પામ્યા હોવાની તથા તથા 20થી વધુ ઘાયલ થયા હોવાની વાત સ્વીકારી હતી.

સમાચાર એજન્સી રૉયટર્સે બંને દેશોના સુરક્ષા અધિકારીઓના હવાલાથી કહ્યું છે કે શનિવારે રાત્રે બૉર્ડર પર ઘણાં સ્થળોએ ભીષણ ઘર્ષણ થયું છે.

પાકિસ્તાની સંરક્ષણ અધિકારીઓએ કહ્યું છે કે તેઓ અફઘાનિસ્તાનના 'ઉશ્કેરણી વગર' કરાયેલા ગોળીબારનો 'પૂરી તાકત' સાથે જવાબ આપવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે બૉર્ડર પર છ કરતાં વધુ સ્થળોએ ગોળીબાર થયો છે.

પાકિસ્તાનની સેના દ્વારા હવાઈ હુમલા, તોપમારો તથા જમીની કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહીમાં તાલિબાનની ચોકીઓ, શિબિરો તથા આનુષંગિક નેટવર્કોને નિશાન બનાવવામાં આવ્યાં.

તાલિબાનની સરકારના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે દાવો કર્યો કે તાલિબાનની પાકિસ્તાનની 20 સીમા ચોકીઓ પર કબજો કરી લીધો હતો અને અથડામણ બાદ તેમને પરત કરી દેવામાં આવી હતી.

તેમજ, પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓનું કહેવું છે, તેમણે 'ભારે જવાબી કાર્યવાહી' કરી અને તેમની સેનાએ અફઘાનિસ્તાનની કેટલીક ચોકીઓ નષ્ટ કરી છે તથા તેની ઉપર હંગામી પ્રભુત્વ મેળવી લીધું હતું.

તાલિબાને પાકિસ્તાની સીમા ચોકીઓ પર હુમલો કર્યો એ પછી અથડામણ થઈ હતી. આ પહેલાં ગત સપ્તાહે અઠવાડિયે કાબુલમાં થયેલા જોરદાર ધડાકા થયા હતા.

તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને આ ધડાકા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું અને પાકિસ્તાની સૈન્યને 'પરિણામ ભોગવવા'ની ચેતવણી આપી હતી.

તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે બીબીસીને કાબુલમાં જણાવ્યું કે શનિવારે રાત્રે ડુરંડ રેખા પર અફઘાનિસ્તાનના પૂર્વ કુનાર પ્રદેશ, દક્ષિણપૂર્વ ખોસ્ત, પક્તિઆ, પક્તિકા અને દક્ષિણ હેલમંડ ખાતે પાકિસ્તાનની મિલિટરી પોસ્ટ પર હુમલા કરવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાન-પાકિસ્તાનનું ઘર્ષણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ડુરંડ લાઇન

ઇમેજ સ્રોત, MOHSEN KARIMI/AFP via Getty

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ પ્રમાણે અફઘાનિસ્તાન સીમા પર છ કરતાં વધુ સ્થળોએ ગોળીબાર થયો છે (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનની સરકારે તાલિબાન સમક્ષ માંગ કરી છે કે "અફઘાનની ધરતી ઉપર કાર્યરત આતંકવાદી સમૂહોને તત્કાળ અટકાવવામાં આવે."

પાકિસ્તાને કહ્યું છે કે જો આવા હુમલા ચાલુ રહ્યા, તો 'પોતાના આત્મવિશ્વાસના અધિકાર હેઠળ' તે જવાબી કાર્યવાહી કરશે. આ દાવાની હજુ સુધી સ્વતંત્ર પુષ્ટિ નથી થઈ શકી.

તાલિબાનના પ્રવક્તાનું કહેવું છે કે આઈએસઆઈએસના વડા પાકિસ્તાનમાં છે અને આ સંગઠન ખૈબર-પખ્તૂનખ્વા તથા બલૂચિસ્તાનમાં સક્રિય છે.

સાઉદી અરેબિયાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બૉર્ડર ક્ષેત્રોમાં ચાલી રહેલા તણાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને સંયમ જાળવવાની અને તણાવ ઓછું કરવાની અપીલ કરી છે.

તેમજ, કતારે પણ તણાવ અંગે ચિંતા વ્યક્ત કરતા બંને પક્ષોને અપીલ કરી છે અને કહ્યું છે કે આ મામલાનું વાતચીત અને કૂટનીતિ દ્વારા સમાધાન કરાય.

આમ, આ ઘર્ષણના કેન્દ્રમાં વારંવાર એક નામ જોવા મળી રહ્યું છે, અને એ છે ડુરંડ રેખા.

આ અહેવાલમાં આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું આખરે આ ડુરંડ રેખા શું છે અને કેમ એ અંગે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ઘણી વાર તણાવ જોવા મળે છે?

એ પહેલાં જાણી લઈએ કે હાલ બંને દેશો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં અત્યાર સુધી શું શું થયું છે?

ડુરંડ લાઇન અંગે વિવાદ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ડુરંડ લાઇન

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અલગ કરતી સીમાને ડુરંડ લાઇન કહેવામાં આવે છે.

પરંતુ અફઘાનિસ્તાન આ સીમારેખાને નથી સ્વીકારતું. પાકિસ્તાન તેને ડુરંડ લાઇન નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સીમા કહે છે. તેમનું કહેવું છે કે આ બૉર્ડરને આંતરરાષ્ટ્રીય માન્યતા હાંસલ છે.

બ્રિટિશ સરકારે તત્કાલીન ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગો પર નિયંત્રણ મજબૂત કરવા માટે 1893માં અફઘાનિસ્તાન સાથે 2,640 કિલોમીટર લાંબી સીમા રેખા ખેંચી હતી.

આ સમાધાન બ્રિટિશ ઇન્ડિયાના તત્કાલીન વિદેશ સચિવ સર મૉર્ટિમર ડુરંડ અને અમીર અબ્દુર રહમાન ખાન વચ્ચે કાબુલમાં થયું હતું. પરંતુ અફઘાનિસ્તાન પર ભલે કોઈનુંય રાજ કેમ ન હોય, ડુરંડ લાઇન પર સર્વસંમતિ નથી. કોઈ અફઘાન તેને આંતરરાષ્ટ્રીય સીમા નથી ગણતું.

વર્ષ 1923માં કિંગ અમાનુલ્લાથી માંડીને અત્યારના શાસન સુધી ડુરંડ લાઇન વિશે કંઈક આવી જ ધારણા છે.

1947માં પાકિસ્તાનના જન્મ બાદ કેટલાક અફઘાન શાસકોએ તો ડુરંડ સમાધાનની માન્યતા પર જ સવાલ ઉઠાવ્યા.

પાકિસ્તાનનો દૃષ્ટિકોણ એ અંગે ઘણો સ્પષ્ટ છે. મેજર જનરલ ઇફ્તિખારે વર્ષ 2022માં કહ્યું હતું કે, "અમે તેને ડુરંડ લાઇન નથી કહેતા. એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા છે, જેને વિશ્વે માન્યતા આપી છે."

વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ વર્ષ 2022માં ફરી એક વાર બંને દેશો વચ્ચે ડુરંડ લાઇન અંગેનો વિવાદ જાગૃત થયો હતો.

એ દરમિયાન બંને દેશો વચ્ચે સરહદે પાકિસ્તાન દ્વારા પાથરાયેલી કાંટાળ તારની વાડને તાલિબાનના લડવૈયાઓએ ઘણી જગ્યાઓએ ઉખાડી ફેંકી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન