100 રૂપિયાની લાંચના આરોપ સામે 39 વર્ષ લડાઈ લડનારા જોગેશ્વરપ્રસાદ અવધિયાની કહાણી શું છે?
100 રૂપિયાની લાંચના આરોપ સામે 39 વર્ષ લડાઈ લડનારા જોગેશ્વરપ્રસાદ અવધિયાની કહાણી શું છે?
છત્તીસગઢના જોગેશ્વરપ્રસાદ અવધિયાની વર્ષ 1986માં રૂ. 100ની લાંચ લેવાના આરોપ સબબ ધરપકડ કરવામાં આવી હતી.
એ પછી પોતાને નિર્દોષ સાબિત કરવા માટે અવધિયાએ લાંબી કાયદાકીય લડાઈ લડી. છેવટે વર્ષ 2025માં હાઇકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા.
જોકે, આ પહેલાં લગભગ 14 હજાર દિવસ માટે અવધિયા તથા તેમના પરિવારે કપરા દિવસો જોવા પડ્યા અને બધાયે જાણે સજા વેઠવી પડી.
બીબીસી સાથેની વાતચીતમાં જોગેશ્વર પ્રસાદ અવધિયાએ સમગ્ર ઘટનાક્રમ, તેમને પડેલી મુશ્કેલીઓ અને પોતાની કહાણી જણાવી. જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



