'અમે રોગ વિશે કશું જાણતા નથી,' ગાઢ જંગલમાં દુર્ગમ સ્થળે રહેતો પરિવાર કેવી રીતે જીવે છે

વીડિયો કૅપ્શન, ગાઢ જંગલમાં એકલો રહેતો એક પરિવાર શા માટે આ જગ્યા છોડવા તૈયાર નથી?
'અમે રોગ વિશે કશું જાણતા નથી,' ગાઢ જંગલમાં દુર્ગમ સ્થળે રહેતો પરિવાર કેવી રીતે જીવે છે

તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના અશ્વરાવપેટ મંડળમાં, એક ઊંચી ટેકરી પર આવેલા ઘનઘોર જંગલમાં એક આદિવાસી પરિવાર છેલ્લાં છ વર્ષથી વસવાટ કરે છે.

આ પરિવારમાં પતિ, પત્ની અને તેમનો પુત્ર એમ માત્ર ત્રણ સભ્યો છે. ટેકરી પર 3 કિલોમીટર ચાલવા છતાં ત્યાં અન્ય કોઈ માનવી જોવા મળતો નથી.

આજના યુગમાં અનિવાર્ય ગણાતી વીજળી અને ટેલિફોન જેવી સુવિધાઓ વિના પણ તેઓ રાબેતા મુજબ પોતાનું જીવન જીવી રહ્યા છે.

આદિવાસીઓના સંરક્ષક ગણાતા કુપાલમંગમ્મા દેવીનું મંદિર તેલંગાણાના અશ્વરાવપેટ અને આંધ્ર પ્રદેશના પુટ્ટાયકોટ્ટમ મંડળની સરહદ પર આવેલા એજન્સી વિસ્તારમાં સ્થિત છે.

આ મંદિરની આસપાસનો પહાડી અને ગાઢ જંગલ વિસ્તાર તેલંગાણાના કંડલમ વનક્ષેત્ર હેઠળ આવે છે. સાંજના 6 વાગ્યા પછી આ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હોય છે.

આ મંદિરથી આશરે ત્રણ કિલોમીટર ઉપર ગાઢ જંગલમાં વર્ષો પહેલાં ગોકુલાપુડી નામના ગામમાં 40 આદિવાસી પરિવારો રહેતા હતા. પાયાની સુવિધાઓના અભાવે અધિકારીઓ 1990થી આ લોકોને અન્યત્ર ખસેડવાના પ્રયાસો કરી રહ્યા હતા.

શરૂઆતમાં તેમણે સ્થળાંતરનો ઇનકાર કર્યો, પરંતુ ITDA (Integrated Tribal Development Agency) ના અધિકારીઓનાં 10 વર્ષના સતત પ્રયત્નો અને શિક્ષણ, વીજળી તથા પાણી જેવી સુવિધાઓની ખાતરી મળતાં તેઓ સંમત થયા.

વર્ષ 2000માં આ પરિવારો પર્વતની તળેટીમાં આવેલી પુનર્વસન વસાહતમાં સ્થાયી થયા, જેનું નામ જૂની યાદમાં 'ગોકુલાપુડી' રાખવામાં આવ્યું.

જોકે, 40માંથી 39 પરિવારો નીચે આવ્યા પણ ગુરુકુંડલા રેડ્ડૈયાના પરિવારે જંગલ છોડવાની સાફ ના પાડી દીધી. આજે તેઓ તેમનાં પત્ની લક્ષ્મી અને પુત્ર ગંગીરેડ્ડી સાથે ત્યાં જ વસે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, તેલંગાણા, જંગલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન