ભારતનું ઑપરેશન સિંદૂર: પાકિસ્તાન સાથે તણાવને લઈને પાકિસ્તાનની સરહદ પાસે આવેલા બનાસકાંઠાનાં ગામોના લોકો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, 'યુદ્ધ થાય તો અમારે મરવાનો વારો આવે એટલે બીક લાગે છે'
ભારતનું ઑપરેશન સિંદૂર: પાકિસ્તાન સાથે તણાવને લઈને પાકિસ્તાનની સરહદ પાસે આવેલા બનાસકાંઠાનાં ગામોના લોકો શું બોલ્યા?

પહલગામ હુમલાના લગભગ 15 દિવસ બાદ ગત મંગળ-બુધવારની રાત્રે ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હવાઈ હુમલો કરીને 'ઑપરેશન સિંદૂર' હેઠળ 'આતંકી ઠેકાણાં' નષ્ટ કરાયાનો દાવો કરાયો હતો.

આ હુમલા બાદ પાકિસ્તાનના રાજનેતાઓ તરફથી તેની પાસે 'જવાબ આપવાનો અધિકાર' હોવાની વાત કરાઈ હતી.

જ્યારે બીજી તરફ ભારતે આ હુમલાને પહલગામ હુમલાના પીડિતો માટે 'ન્યાય' ગણાવ્યો હતો.

ભારતમાં ઠેરઠેર બુધવારના દિવસે આ જ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો.

પાકિસ્તાની પ્રતિક્રિયાની સંભાવનાને પગલે પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાતના બનાસકાંઠાનાં ગામોમાં પણ લોકોએ પ્રતિક્રિયા આપી હતી.

ઑપરેશન સિંદૂર બાદ આ છેવાડાના ગામના લોકોએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં શું કહ્યું?

ભારતનું ઑપરેશન સિંદૂર, ભારત, પાકિસ્તાન, અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાતીમાં સમાચાર, ન્યૂઝ અપડેટ, ગુજરાતના સમાચાર, ન્યૂઝ, બનાસકાંઠા, મહિલા, પાકિસ્તાન સરહદ
ઇમેજ કૅપ્શન, ભારતનું ઑપરેશન સિંદૂર: પાકિસ્તાન સાથે તણાવને લઈને પાકિસ્તાનની સરહદ પાસે આવેલા બનાસકાંઠાનાં ગામોના લોકો શું બોલ્યા?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન