મનુ ભાકરે મેજર ધ્યાનચંદ ખેલરત્ન ઍવૉર્ડ મેળવ્યા બાદ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, Manu Bhakerએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન ઍવૉર્ડ મેળવ્યા બાદ શું કહ્યું?
મનુ ભાકરે મેજર ધ્યાનચંદ ખેલરત્ન ઍવૉર્ડ મેળવ્યા બાદ શું કહ્યું?

ભારતીય શૂટિંગ સ્ટાર મનુ ભાકરને શુક્રવારે દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને હાથે મેજર ધ્યાનચંદ ખેલરત્ન ઍવૉર્ડથી સન્માનિત કરાયાં હતાં.

22 વર્ષીય શૂટર મનુ ભાકરે વર્ષ 2024ના ઑલિમ્પિક દરમિયાન શૂટિંગ ઇવેન્ટમાં બે કાંસ્ય ચંદ્રક મેળવીને ઇતિહાસ રચી દીધો હતો. તેઓ આઝાદી બાદ ઑલિમ્પિકમાં બે ચંદ્રક મેળવનાર ભારતના પ્રથમ ખેલાડી છે.

ખેલરત્ન ઍવૉર્ડ મેળવ્યા બાદ તેમણે બીબીસી સાથે ખાસ વાતચીત કરી હતી.

આ વાતચીતમાં તેમણે શું કહ્યું? જુઓ, બીબીસીની આ ખાસ રજૂઆતમાં.

બીબીસી ગુજરાતી, મનુ ભાકર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનુ ભાકર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.