ઍસિડ ઍટેકનો ભોગ બનેલાં કાફી દૃષ્ટિ ગુમાવ્યા પછી પણ IAS અધિકારી બની શું કરવા માગે છે?
ઍસિડ ઍટેકનો ભોગ બનેલાં કાફી દૃષ્ટિ ગુમાવ્યા પછી પણ IAS અધિકારી બની શું કરવા માગે છે?
હરિયાણાનાં હિસારનાં કાફી જાણે હિંમત અને આત્મવિશ્વાસનું બીજું નામ છે.
આ ઍસિડ ઍટેક સર્વાઇવરે CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષામાં 95.6% મેળવ્યાં છે.
તેઓ ચંડીગઢના ઇન્સ્ટિટ્યૂટ ફૉર બ્લાઇન્ડનાં વિદ્યાર્થિની છે.
જીવનમાં આટલી મોટી વિપદા આવી પડી હોવા છતાં કાફીનો આત્મવિશ્વાસ સુદૃઢ છે.
ઍસિડ ઍટેકને કારણે તેમણે દૃષ્ટિ ગુમાવી દીધી છે.
છતાં તેઓ હિંમત નથી હાર્યા અને IAS અધિકારી બનવાનું સપનું પૂરું કરવા માગે છે.
જુઓ, તેમની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



