જામનગર : બે દિવસ સુધી પાણીમાં ફસાયેલા લોકોએ કેવી તકલીફો વેઠી?

વીડિયો કૅપ્શન, જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા બે હજાર 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું
જામનગર : બે દિવસ સુધી પાણીમાં ફસાયેલા લોકોએ કેવી તકલીફો વેઠી?

ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનો કેર યથાવત રહેતાં ગામો અને નગરો હજુ પણ પાણીમાં ગરકાવ છે.

જામનગર, પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં હજુ પણ લોકોને રૅસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.

જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2,300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામગનર જિલ્લા વહીવટીતંત્ર અનુસાર અત્યાર સુધી આર્મીની ત્રણ ટુકડીઓ, ફાયર વિભાગ અને ઍરફૉર્સે 450 લોકોનું રૅસ્કયૂ કર્યું છે.

જાણો આ વીડિયો અહેવાલમાં કે જામનગરમાં પાણીમાં ફસાયેલા લોકોએ કેવી તકલીફોનો સામનો કરવો પડ્યો.....

જામનગરમાં ભારે વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે

ઇમેજ સ્રોત, DARSHAN THAKKAR

ઇમેજ કૅપ્શન, જામનગરમાં ભારે વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.