You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડાયાબિટીસના દર્દીઓએ અનલૉકમાં કોરોનાથી કેવી રીતે બચવું, ડૉ. વી. એન. શાહ શું કહે છે?
ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.
ઝાયડસના સ્થાપક અને ડાયાબિટીઝની સારવારમાં નિષ્ણાત મનાતા ડૉ. વી. એન. શાહનું કહેવું છે કે અનલૉક પછી સતત વધતા સંક્રમણને કારણે આવા દર્દીઓ માટે ખતરો વધ્યો છે અને તેમણે વધારે સાવચેત રહેવાની જરૂર છે.
નિષ્ણાતો મુજબ કોરોના સંક્રમણની સૌથી વધારે અસર જે લોકો પર થઈ તેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડનીની બીમારીના દર્દી તથા અન્ય ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ સામેલ છે.
ડૉ. વી. એન. શાહે કહ્યું કે કોરોનાના ચેપગ્રસ્તોમાં ડાયાબિટીસ, બલ્ડપ્રેશરથી પીડિત દરદીઓમાં પણ એ લોકોની પરિસ્થિતિ વધારે ગંભીર થતી હતી, જેમના શરીરમાં સ્થૂળતા હતી.
તેમણે જણાવ્યું કે ભલે અનલૉક થઈ ગયું હોય પરંતુ ડાયાબિટીઝના દર્દીઓ માટે ઘરની બહાર બિનજરૂરી જવું એ ગુના આચરવા જેવું છે, કારણકે તેમના માટે ખતરો વધારે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો