ઇંદિરા ગાંધીની જેમ અતિ કરી રહ્યા છે વડા પ્રધાન : કેજરીવાલ
મનીષ સિસોદિયાની ધરપકડ કરાયા બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ઇંદિરા ગાંધી સાથે કરી છે.
કેજરીવાલે મોદી સરકારની કાર્યવાહીની ટીકા કરતાં કહ્યું છે કે 'પીએમ મોદી ઇંદિરા ગાંધીની માફક અતિ કરી રહ્યા છે.'
સમાચાર સંસ્થા એએનાઈના જણાવ્યા અનુસાર કેજરીવાલે કહ્યું, "આમ આદમી પાર્ટી લોકોનાં ઘરેઘરે જશે અને દરેક વ્યક્તિને મળશે. અમે તેમને સમજાવીશું કે પીએમ કઈ રીતે એવી અતિ કરી રહ્યા છે જેવી ઇંદિરા ગાંધીએ કરી હતી. લોકો બધું જ જોઈ રહ્યા છે અને તેઓ જ જવાબ આપશે. લોકો ભારે આક્રોશમાં છે."