You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : 30 ટન કેરીના જથ્થામાંથી કેવી રીતે રસ કાઢવામાં આવે છે?
ઉનાળાના સમયમાં કેરીનો રસ ભોજનનો અભિન્ન હિસ્સો માનવામાં આવે છે. નાનાં બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના લોકોમાં કેરીના રસની લોકપ્રિયતા છે. ઉનાળામાં તો કેરીના રસની જબ્બર માગ જોવા મળે છે.
દક્ષિણ ગુજરાત ઉનાળામાં પાકતી કેરી માટે પણ પ્રખ્યાત છે. જેમાં હાફુસ, રાજાપુરી, તોતાપુરી, કેસર કેરી વિદેશમાં પ્રખ્યાત છે.
સુરત એપીએમસીમાં દર કલાકે દોઢથી બે ટન(એક ટન એટલે 1000 કિલો) કેરીનો રસ અત્યાધુનિક મશીનરી દ્વારા કાઢવામાં આવે છે.
મજાની વાત એ છે કે કેરીનો રસ કાઢવાથી માંડીને તેને સ્ટોર કરવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા મશીન પર આધારિત છે.
સુરત એપીએમસી સાથે જોડાયેલા ફૂડ ટેકનોલૉજિસ્ટ અમિત નકુમે આ આખી પ્રક્રિયા અંગે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી અને રોજની આવતી ચાલીસથી પચાસ ટન કેરીમાંથી કેવી રીતે મેંગો પલ્પ બનાવવામાં આવે છે તેની વિગતે વાત કરી હતી.
આખરે ટનબદ્ધ કેરીના જથ્થામાંથી રસ કેવી રીતે કાઢવામાં આવે? આ આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં કેટલા માણસો રોકાયેલા હોય? રસ નીકળ્યા પછી ગોટલા અને છાલનું શું કરવામાં આવે?
આ તમામ સવાલોના જવાબો પ્રસ્તુત વીડિયોમાં જાણવા મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન