ખામેનેઈની અંતિમવિધિમાં લાખો લોકો ઉમટ્યા, જુઓ તસવીરો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, EPA
માર્યા ગયેલા ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈને અંતિમ વિદાય આપવા માટે ઈરાનમાં ગઈકાલે ભારે ભીડ ઉમટી હતી.
આ અંતિમવિધિ તેહરાનના 'ગ્રાન્ડ મોસલ્લા'માં આયોજિત થઈ છે. અહીં બે દિવસનો શોક સમારોહ છે.
ઈરાની અધિકારીઓનું માનવું છે કે કુલ છ દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં દોઢથી બે કરોડ લોકો સામેલ થશે.
ત્યારબાદ ખામેનેઈના મૃતદેહને ઈરાક પણ લઈ જવામાં આવશે. બુધવારે અલી ખામેનેઈના અંતિમસંસ્કાર માટે ઈરાકની રાજધાની બગદાદમાં બંધ પાળવામાં આવશે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, KHAMENEI.IR / AFP via Getty Images
એસ. જયશંકર આજથી મધ્ય-પૂર્વના દેશોનો પ્રવાસ કરશે

ઇમેજ સ્રોત, Mandel NGAN / AFP via Getty Images
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર આજથી મધ્ય-પૂર્વ દેશોનો પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જારી કરીને તેની માહિતી આપી હતી.
શનિવારે જારી આ પ્રેસ રિલીઝ પ્રમાણે જયશંકર 11 દિવસોના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. તેમનો આ પ્રવાસ પાંચ જુલાઈથી 15મી જુલાઈ સુધી ચાલશે.
આ દરમિયાન તેઓ મધ્ય-પૂર્વમાં કતાર, બહેરીન, કુવૈત, અને ઓમાન જશે. ત્યાર પછી તેઓ ન્યૂયૉર્ક અને બ્રસેલ્સની આધિકારિક યાત્રા પર રહેશે.
13મી જુલાઈએ ન્યૂયૉર્કમાં જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 2028-29ના સમયગાળા દરમિયાનના ભારતના અભિયાનની શરૂઆત કરશે. અને બ્રસેલ્સમાં ભઙારત-ઈયુ ટ્રેડ એન્ડ ટૅક્નૉલૉજી કાઉન્સિલની ત્રીજી બેઠકમાં સામેલ થશે. આ દરમિયાન આ યુરોપિયન યુનિયન અને બેલ્જિયમમાં પોતના સમકક્ષોની સાથે મુલાકાત પણ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મશહૂર પંડવાની ગાયિકા તીજનબાઈનું નિધન

ઇમેજ સ્રોત, K Asif/The India Today Group via Getty Images
મહાભારતનાં આખ્યાનોને પંડવાની ગાયન મારફતે દુનિયાભરમાં પહોંચાડનારાં મશહૂર લોકગાયિકા તીજનબાઈનું છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રવિવારે વહેલી સવારે નિધન થઈ ગયું.
લાંબા સમયથી તેઓ બીમાર હતાં. રાયપુર એમ્સમાં તેમણે છેલ્લા શ્વાસ લીધાં હતાં.
તીજનબાઈ પોતાની બુલંદ અવાજ, પ્રભાવી અભિનય અને અનોખી પ્રસ્તુતિ શૈલીથી પંડવાનીને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ નવી ઓળખ અપાવી.
મહાભારતની કથાઓને મંચ પર જીવંત કરવાની તેમની કલાએ તેમને દેશ અને દુનિયાભરમાં મશહૂર કરી દીધાં હતાં. તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તીજનબાઈનો જન્મ ભિલાઈના ગામ ગનિયારીમાં થયો હતો. તેમની ઉંમર 13 વર્ષની હતી ત્યારે તેમણે પહેલી વખત મંચ પર પ્રદર્શન કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















