‘બૉયકૉટપઠાન’ ટ્રેન્ડ વચ્ચે શાહરૂખનું ભાષણ કેમ વાઇરલ થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
હિંદી ફિલ્મના અભિનેતા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાને કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં સોશિયલ મીડિયા અને વાણીની સ્વતંત્રતા વિશે વાત કરી હતી.
અમિતાભ બચ્ચને આ પ્રસંગે વાત કરતાં કહ્યું હતું કે, “હાલ પણ, નાગરિક અધિકારો અને વાણીસ્વાતંત્ર્ય અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે.”
આગામી સમયમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ રિલીઝ થવાની છે અને ‘પઠાન’ની રિલીઝ પહેલાં તેના ગીતને લઈને વિવાદ સર્જાતાં સોશિયલ મીડિયા પર ‘બૉયકૉટ પઠાન’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
આ સમારોહ દરમિયાન શાહરૂખ ખાને ‘કેવી રીતે સોશિયલ મીડિયા વિચારોની સંકીર્ણતાથી ભરાઈ રહ્યું છે’, એ મુદ્દે વાત કરી હતી.
તેમણે આ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, “સિનેમા અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ થકી અભિવ્યક્ત થતાં વિચારો એ હાલના સમયમાં માનવીય અભિવ્યક્તિ અને અનુભવોનો મુખ્ય ભાગ બની ગયા છે. આપણા સમયની સામૂહિક પરિદૃશ્ય સોશિયલ મીડિયાથી ઘડાઈ રહ્યું છે. અને હવે જ્યારે એવું મનાય છે કે સોશિયલ મીડિયાનો પ્રસાર કદાચ સિનેમા પર નકારત્મક અસર ઉપજાવશે તેવા સમયે હું માનું છે કે સિનેમાની ભૂમિકા વધુ મહત્ત્પૂર્ણ બની જાય છે.”
શાહરૂખ ખાને એ ભાષણમાં શું કહ્યું હતું, જુઓ આ વીડિયો અહેવાલ...





