You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધોરાજી : 'પાણી વાપરીએ તો'ય વાસ આવે છે તો એ પાણી પીવું કઈ રીતે?'
ધોરાજી : 'પાણી વાપરીએ તો'ય વાસ આવે છે તો એ પાણી પીવું કઈ રીતે?'
ધોરાજીમાં આજે પણ પાણી મેળવવું મોટી સમસ્યા છે.
ધોરાજીના લોકોનું કહેવું છે કે ઉનાળાની ધોમધખતી ગરમી વચ્ચે પણ આઠ દિવસે પાણી મળે છે. આ પાણી પણ એકદમ અસ્વચ્છ હોય છે અને પીવાલાયક નથી.
જોકે, ધોરાજી પાલિકા ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાનું કહેવું છે કે માત્ર બે વોર્ડમાં દૂષિત પાણી આવે છે અને તેનું નિવારણ કરવામાં આવશે. જ્યારે બાકીનું કામ ચૂંટણી અને આચરસંહિત પૂર્ણ થાય એટલે ટૅન્ડર બહાર પાડીને પૂર્ણ કરવામાં આવશે.
ધોરાજીમાં પાણીના મુદ્દે ભાજપ અને કૉંગ્રેસ બંને રાજકીય પક્ષો આરોપ પ્રત્યારોપ કરી રહ્યાં છે ત્યારે સામાન્ય લોકોને કેવી હાલાકી ભોગવી પડી રહી છે? જાણો આ વીડિયો અહેવાલમાં....