You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં જ્યારે મનમોહનસિંહનાં વખાણ કર્યાં
ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા.
છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમને મોડી રાત્રે સારવાર માટે દિલ્હીસ્થિત એઇમ્સ હૉસ્પિટલ દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
એઇમ્સના મીડિયા સેલે મનમોહનસિંહના નિધનની જાણકારી આપી છે.
આ અંગે એઇમ્સ હૉસ્પિટલે પ્રેસનોટમાં લખ્યું "ઊંડા શોક સાથે અમે પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનની જાણ કરીએ છીએ. ઉંમરને લગતી તબીબી સ્થિતિ માટે તેમની સારવાર કરાઈ રહી હતી. 26 ડિસેમ્બરે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને ભાનમાં લાવવાના ઘરે તાત્કાલિક સારવાર કરાઈ હતી. તેમને રાત્રે આઠ વાગીને છ મિનિટે નવી દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલ ખાતે ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો છતાં તેમને બચાવી ન શકાયા. રાત્રે 09 વાગ્યા અને 51 મિનિટે તેમને મૃત જાહેર કરાયા."
મનમોહનસિંહ બે વાર દેશના વડા પ્રધાન રહી ચૂક્યા છે. તેઓ 2004થી 2014 સુધી દેશના વડા પ્રધાન રહ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન