ભારતમાં કોલસાની ભારે અછતથી વીજસંકટનું તોળાતું જોખમ
ભારત કોલસાની ભારે અછતનો સામનો કરી રહ્યું છે અને તેના કારણે દેશના વીજપુરવઠા અને આર્થિક રિકવરી સામે જોખમ ઊભું થઈ શકે છે.
ભારતમાં આવનારા સમયમાં વીજસંકટ પેદા થઈ શકે છે. ભારતમાં કોલસા પર આધારિત 135 વીજળી સંયંત્ર છે.
ભારતમાં 70 ટકાથી વધુ વીજળી કોલસાથી ઉત્પાદિત થાય છે, એવામાં ચિંતા છે કે મહામારી બાદ પાટા પર આવેલી રહેલી અર્થવ્યવસ્થા ફરીથી પાટેથી ઊતરી શકે છે.
આવું કેમ થઈ રહ્યુ છે, જોઈએ બીબીસી સંવાદદાતા અરુણોદય મુખરજીનો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો