હાર્દિક પટેલે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને અનામત આંદોલનના કેસો પાછા ખેંચવા માટે કેમ કહ્યું?
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સતત કહેતા આવ્યા છે કે સરકાર કોરોના માહામારી સહિત અનેક મોર્ચે નિષ્ફળ ગઈ, એટલે જ ગુજરાતમાં આખે આખી સરકાર બદલવી પડી.
કૉંગ્રેસે રાજકોટ ખાતેથી ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. જે અંતર્ગત તેઓ કોવિડને કારણે મૃત્યુ પામેલા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે વળતરની માગ કરી રહ્યા છે. આ પ્રસંગે પત્રકારોને સંબોધતા હાર્દિકે નવી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ભાજપે સરકાર બદલીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો