ઘરમાં પાંચ મૃત્યુ થયાં, છતાં ગોધરાના આ 108 ડ્રાઇવરે ઍમ્બ્યુલન્સ ચલાવવાનું ચાલુ રાખ્યું

આ વાત છે ગોધરામાં 108 ઍમ્બ્યુલન્સમાં પાઇલટ તરીકે ફરજ બજાવનારા પ્રવીણભાઈ બારિયાની, જેમણે પાંચ દિવસમાં ઘરના મોભી સહિત પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યા છે.

આમ છતાં તેઓ માનવસેવા બજાવવા માટે ફરજ પર હાજર જોવા મળે છે.

માતા અને પિતા કોરોનાની ચપેટમાં આવ્યા બાદ પણ પ્રવીણભાઈ હિંમત ન હાર્યા, માતા-પિતાને ઇલાજ માટે હૉસ્પિટલ દાખલ કર્યાં હતાં.

આ દરમિયાન પ્રવીણભાઈએ ઍમ્બ્યુલન્સ ચલાવવાનું કામ ચાલુ જ રાખ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો