કોરોના વૅક્સિન : શું બાળકોને કોરોનાની રસી અપાવવી જરૂરી છે?
હાલ દુનિયાના અનેક દેશોમાં ચાલી રહેલા કોરોના વાઇરસ સામેના રસીકરણના કાર્યક્રમમાં બાળકોને પ્રાથમિકતા નથી આપવામાં આવી. ભારતમાં કોરોના વાઇરસ સામે ચાલતા સૌથી મોટાં રસીકરણ કાર્યક્રમમાં પણ બાળકોનો વારો હજી આવ્યો નથી.
કોરોના મહામારીમાં બાળકોમાં કોરોના સંક્રમણ ઓછું જોવા મળ્યું અને બાળકોમાં સંક્રમણના લક્ષણો પણ ઓછાં જોવા મળ્યા.
આ કારણોસર બાળકોને રસી આપવી જરૂરી નથી એ વાત સામે આવતી હતી.
જોકે હવે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે બાળકોને પણ કોરોનાની રસી મૂકવી જોઈએ. શું કારણ છે કે બાળકોને પણ કોરોનાની રસી આપવાની વાત કહેવામાં આવી રહી છે?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો