You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપ્રીમ કોર્ટે કૃષિકાયદા પર સ્ટે આપ્યો છતાં ખેડૂતો ખુશ કેમ નથી?
નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા કૃષિકાયદાઓ પર સુપ્રીમ કોર્ટે આગલા આદેશ સુધી સ્ટે મુકી દીધો છે.
ખેડૂતો દિલ્હીની સરહદે દોઢ માસથી કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને આ મુદ્દે તરફેણમાં અને વિરોધમાં પણ અનેક પિટિશનો સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.
સુપીમ કોર્ટે આગામી આદેશ ન થાય ત્યાં સુધી ત્રણ કાયદાઓ પર સ્ટે આપ્યો છે અને ચાર સભ્યોની એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે જે કૃષિકાયદા મામલે ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરશે.
આ સમિતિમાં ઇન્ટરનેશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રમોદકુમાર જોશી, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને શેતકરી સંગઠનના અનિલ ધનવંત અને બી. એસ. માનનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાબતે ખેડૂતોનું શું કહેવું છે જુઓ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો