ગુજરાતની ઐતિહાસિક બાપુ ટ્રેન બંધ કરવા સામે વિરોધ કેમ?
ઇન્ડિન રેલવેએ દેશની 11 નૅરોગેજ સેવાઓને આર્થિક કારણોસર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બિલિમોરા અને વઘઈ વચ્ચે ચાલતી ટ્રેન પણ આ યાદીમાં સામેલ છે.
દક્ષિણ ગુજરાતના રમ્ય નજારાઓની સેર કરાવવાની સાથોસાથ તે સ્થાનિક આદીવાસીઓ માટે જીવાદોરી સમાન છે.
અહીંના વેપારીઓ સાગ- સહિતના વસ્તુઓનો વેપાર આ ટ્રેનથી કરે છે. સમયની સાથે સાથે તેના દ્વારા થતો વેપાર ઓછો થયો છે.
છતાં સ્થાનિક લોકો ટ્રેન બંધ કરવાના સરકારના નિર્ણયથી નારાજ છે. તેમણે રેલવેમંત્રી પિયુષ ગોયેલને એક પત્ર લખીને ટ્રેનને પ્રવાસન માટે ચાલુ રાખવાની અપીલ કરી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો