કોરોના વાઇરસ : ડૅક્સામૅથાસન દવાએ આપ્યા રાહતના સમાચાર
હાલમાં જ બ્રિટનના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે દુનિયાભરમાં ખૂબ જ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ દવા ડૅક્સામૅથાસન કોરોના વાઇરસથી સંક્રમિત અને ગંભીર રૂપથી બીમાર દર્દીઓનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે.
શોધકર્તાઓનું અનુમાન છે કે જો આ દવાનો ઉપયોગ બ્રિટનમાં સંક્રમણના શરૂઆતી તબક્કામાં જ કરવામાં આવ્યો હોત તો લગભગ 5000 લોકોના જીવ બચાવી શકાયા હોત.
ઑક્સફર્ડ યુનિવર્સિટીની એક ટીમે હૉસ્પિટલોમાં ભરતી 2000 દર્દીઓને આ દવા આપી અને એ પછી તેમનો તુલનાત્મક અભ્યાસ એ 4000 દર્દીઓ સાથે કર્યો જેમને દવા અપાઈ નહોતી.
જે દર્દી વૅન્ટિલેટર પર હતા એમને આ દવાની અસરથી 40 ટકાથી લઈને 28 ટકા સુધી મૃત્યુનું જોખમ ઘટી ગયું અને જેમને ઓક્સિજનની જરૂર હતી એમાં આ જોખમ 25 ટકાથી 20 ટકા સુધી ઓછું થઈ ગયું.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો