ભારત-ચીન સીમાવિવાદ : મોદીના મૌન પર રાહુલના પ્રશ્નો
ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીના મૌન પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. વિપક્ષના અન્ય નેતાઓએ પણ ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ વિશે ટિપ્પણી કરી હતી.
લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝડપમાં જીવ ગુમાવનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું છે કે દેશ આ બલિદાનને નહીં ભૂલે.
સપા નેતા અખિલેશ યાદવે પિતા અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી મુલાયમ સિંહ યાદવનો એક જૂનો વીડિયો પોસ્ટ કર્યો.
અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સર્વપક્ષીય બેઠક બોલાવવાની અપીલ કરી.
ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડા પ્રધાન મોદી અને શી જિનપિંગની તસવીર પોસ્ટ કરી કટાક્ષ કર્યો.
બહુજન સમાજ પાર્ટનાં નેતા માયાવતીએ આ મુદ્દા પર સરકારનો સાથ આપ્યો.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો