કેરળમાં હાથણીના મૃત્યુ બાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી
દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં એક ગર્ભવતી હાથણીનું વિસ્ફોટકભરેલું એક અનનાસ ખાવાને કારણે થયેલા મૃત્યુએ માનવતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરી દીધા છે.
શંકા છે કે કેટલાંક મસ્તીખોર તત્ત્વોએ હાથણીને વિસ્ફોટકભરેલું અનનાસ હાથણીને ખવડાવી દીધું હતું.
માણસ અને પ્રાણી વચ્ચેના સંઘર્ષમાં આ ઘટના એ માનવતાના પતનની વધુ એક કહાણી છે.
વનવિભાગના અધિકારીઓ પ્રમાણે હાથણીની ઉંમર 14-15 વર્ષ હતી.
ઈજાગ્રસ્ત થયા બાદથી તે એટલી પીડામાં હતી કે તે ત્રણ દિવસ સુધી વેલિયાર નદીમાં ઊભી રહી અને તેની સારવાર કરવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.
આ સમગ્ર સમય દરમિયાન તેનું મોઢું અને સૂંઢ પાણીની અંદર જ રહ્યાં.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો