You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનું ગૌરવ 'પાટણનાં પટોળાં' શું લુપ્ત થઈ જશે?
છેલાજી રે તમે પાટણથી પટોળાં... આ ફિલ્મનું ગીત લગભગ દરેક ગુજરાતીએ સાંભળ્યું જ હશે. પણ ભવિષ્યમાં કદાચ એમ પણ બને કે છેલાજીને એ પટોળાં લાવવા હોય પણ એ મળે નહીં.
ગુજરાતના સુવર્ણયુગ ગણાતા સોલંકીકાળમાં રાજા કુમારપાળ સોલંકી દ્વારા પટોળાંની કળાને આગળ વધારવા માટે 700 કુટુંબોને પાટણ લાવીને વસાવવામાં આવ્યા હતા.
ત્યારથી આજ સુધી પાટણનાં પટોળાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પોતાની આગવી બનાવટ માટે વખણાય છે.
પરંતુ હવે આ કળાના જાણકાર થોડાં જ લોકો બચ્યા હોવાથી પાટણની આ ઐતિહાસિક કળા લુપ્ત થવા તરફ જઈ રહી છે.
જુઓ, ગુજરાતના લુપ્ત થતા વારસાની વાત કરતી બીબીસી ગુજરાતીની ખાસ વીડિયોશ્રેણીની પ્રથમ રજૂઆત.
વીડિયો: કિંતુ ગઢવી, ઍડિટ: રોઆના રહેમાન/પ્રીત ગરાલા
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો