You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં કેવી સ્થિતિમાં કામ કરે છે CRPFના જવાન?
ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા-વ્યવસ્થા હળવી બનાવવાનો નિર્ણય લીધો
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દેવાના લગભગ પાંચ માસ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ખીણમાં તહેનાત સુરક્ષાબળોની સંખ્યા હળવી બનાવવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણયના પરિણામસ્વરૂપે જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવી રહેલી અર્ધસૈનિક દળોની 72 ટુકડીઓ પરત બોલાવી લેવાઈ છે, જેમાં સીઆરપીએફની 24 ટુકડીઓ પણ સામેલ છે.
ખીણમાં બનતા કોઈ પણ હિંસાત્મક બનાવ કે પથ્થરમારા સમયે પણ આ સીઆરપીએફ જવાનો સ્થાનિક પોલીસ સાથે ખડે પગે રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 5 ઑગસ્ટ, 2019ના રોજ ભારત સરકારે કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો ખડકી દીધા હતા.
ત્યારથી લઈને આજ સુધી આ સુરક્ષાદળના જવાનો ખીણમાં સુરક્ષા-વ્યવસ્થા જાળવવા માટે અથાગ પ્રયત્નો કરતા હતા.
જમ્મુ-કાશ્મીરની કપરી પરિસ્થિતિ અંગે માહિતી આપતાં શ્રીગરમાં તહેનાત સીઆરપીએફ જવાન જી. ડી. શંકરલાલ જણાવે છે: "જ્યારે ખીણમાં માહિતી-સંચાર બંધ કરી દેવાયો હતો, ત્યારે તેની અસર માત્ર સામાન્ય નાગરિકો પર જ નહીં, પરંતુ અહીં રહેલા સુરક્ષાદળના જવાનો પર પણ સમાનપણે પડી હતી."
અન્ય એક સૈનિક અંજુલતા યાદવે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે કાશ્મીરમાં ફરજ દરમિયાન તેમને ભાગ્યે જ ભોજન લેવાનો સમય મળતો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો