કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સીબીઆઈ ડાયરેક્ટર સુબોધ જયસ્વાલને
પત્ર લખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પુછપરછ કરવાની માગ કરી છે.
કૉંગ્રેસે સીબીઆઈ નિદેશકને કહ્યું હતું કે, “અમિત
શાહે મેઘાલયના મુખ્ય મંત્રી કોનરાડ સંગમાના અગાઉના કાર્યકાળને ભ્રષ્ટ ગણાવ્યો હતો અને આ દાવાની તપાસ થવી જોઈએ.”
પત્રમાં જયરામ રમેશે જણાવ્યું હતું કે,17
ફેબ્રુઆરી 2023ના રોજ શાહે એક રેલી દરમિયાન કહ્યું હતું કે, "તત્કાલીન મેઘાલય સરકાર 'દેશની
સૌથી ભ્રષ્ટ સરકાર' હતી.”
તેઓએ લખ્યું હતું કે, “અમિત
શાહ દેશના ગૃહમંત્રી પણ છે. ગૃહમંત્રી હોવાના કારણે તેમની પાસે જરૂરી માહિતી અને તથ્યો હશે, જેના આધારે તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા.”
21 માર્ચે લખાયેલા આ પત્રમાં જયરામ રમેશે
કહ્યું હતું કે, "કેટલાક કારણોસર ગૃહમંત્રી, જે ભાજપના પૂર્વ અધ્યક્ષ પણ હતા, આ ભ્રષ્ટાચારની માહિતી મળ્યા બાદ પણ તત્કાલીન મેઘાલય સરકાર વિરુદ્ધ કાર્યવાહી
કરી શક્યા ન હતા.
કૉંગ્રેસ નેતાએ સીબીઆઈ ડાયરેક્ટરને કહ્યું કે,
“તેથી
દેશના હિતમાં અમે તમને અમિત શાહને સમન્સ આપવા તમામ માહિતી, તથ્યો રજૂ કરવા માટે કહીએ છીએ.”
“અમે તમારી પાસેથી એ પણ માગ કરીએ છીએ
કે એ વાતની તપાસ થવી જોઈએ કે શું ગૃહમંત્રી મેઘાલય સરકારમાં ભ્રષ્ટાચાર સંબંધિત માહિતી છુપાવવા માટે તેમની પાર્ટી અથવા અન્ય દળોના દબાવમાં તો નથી ને, જેના કારણે તેમની પાર્ટી ભાજપને તાજેતરમાં યોજાયેલી મેઘાલય ચૂંટણી બાદ એ જ કોનરાડ સંગમા સાથે મળીને સરકાર બનાવવી પડી હતી.”