ભારતમાં આતંકી હુમલાની આશંકા અંગે સેનાપ્રમુખે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
સૈન્યવડા જનરલ મનોજ પાંડેએ કહ્યું છે કે ભારત ભવિષ્યમાં પણ આતંકવાદ અને આંતરિક સુરક્ષાના પડકારોનો સામનો કરતો રહેશે અને દેશનાં સરુક્ષાદળો એકજૂથ થઈને એને પહોંચી વળશે.
માનેસરમાં નેશનલ સિક્યૉરિટી ગાર્ડના બેઝમાં 'ઑલ ઇન્ડિયા પોલીસ કમાન્ડો કૉમ્પિટિશન'નું ઉદ્ઘાટન કરતી વખતે એમણે આ વાત કરી હતી.
જનરલ પાંડેએ કહ્યું કે ન્યૂએજ ટેકનૉલૉજી જેવાં કે ડ્રોન, ઇન્ટરનેટ, સાઇબર સ્પેસ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ દુશ્મનો કરી રહ્યા છે.
તેમણે ઉમેર્યું, "સૌ જાણો છો કે આતંકવાદ અને આંતરિક સુરક્ષાની સ્થિતિ ઘણી રીતે આપણા દેશને પ્રભાવિત કરી રહી છે. આપણે એકજૂથ થઈને આ પડકારોનો સામનો કરી રહ્યા છીએ. એટલે સુરક્ષાની સ્થિતિ કેટલાંય રાજ્યોમાં બહેતર બની છે. "
જનરલ પાંડેએ દેશમાં આતંકી હુમલાની 'આશંકા'ને નજરઅંદાજ ના કરી શકાય એવું પણ કહ્યું.





