વડા પ્રધાન મોદી વિશે રાહુલ ગાંધીએ કહ્યું, એ દેશ નથી, માત્ર એક નાગરિક છે

ઇમેજ સ્રોત, @INCIndia
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપ, પીએમ અને આરએસએસને ભ્રમ થઈ ગયો છે કે તેઓ દેશ છે.
કર્ણાટકમાં પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડમાં યોજાયેલી એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, "ભાજપ અને આરએસએસ હિંસા અને નફરત ફેલાવી રહ્યા છે. પીએમ, ભાજપ અને આરએસએસના મગજમાં ભ્રમ છે કે તેઓ ભારત છે. તેમને લાગે છે કે તેઓ જ સમગ્ર ભારત છે."
"પીએમ એક ભારતીય વ્યક્તિ છે, આ દેશ નથી, તેઓ માત્ર અહીં એક નાગરિક છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમણે કહ્યું કે, તેઓ ભાજપ અને આરએસએસથી નથી ડરતા. તેમણે કહ્યું, "માર પર ગમે તેટલી વાર હુમલા કરવામાં આવે, ગમે તેટલી વાર મારા ઘરે પોલીસ આવે, મારા પર ગમે તેટલા કેસ કરી દો. હું સત્ય સાથે જ ઊભો છું. હું આવો જ છું."
આ અગાઉ સોમવારે રાહુલ ગાંધીએ કર્ણાટકના બેલગાવીમાં યોજાયેલી એક રેલીમાં રાજ્યની ભાજપ સરકાર પર શાબ્દિક હુમલા કર્યા અને આક્ષેપ લગાવ્યો કે આ દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે.
તેમણે કહ્યું, "આ (કર્ણાટકની સરકાર) દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે, 40 ટકાની સરકાર છે, આ સરકારમાં કોઈ પણ કામ કરાવવા માટે 40 ટકા કમિશન આપવું પડે છે. "
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
"તમે જ મને જણાવ્યું કે કૉન્ટ્રૅક્ટર્સ એસોસિએશન અને સ્કૂલ મૅનેજમૅન્ટ એસોસિએશને હિંદુસ્તાનના વડા પ્રધાનને પત્ર લખ્યો છે કે કર્ણાટકમાં 40 ટકા કમિશન લેવાઈ રહ્યું છે. હિંદુસ્તાનના વડા પ્રધાને આ પત્રનો જવાબ હજી સુધી નથી આપ્યો."
તેમણે કહ્યું કે, મૈસુર સૅંડલ સોપના કૌભાંડમાં એમએલએના દીકરાને આઠ કરોડ રૂપિયા સાથે પકડવામાં આવ્યો પરંતુ "કોઈ કાર્યવાહી નથી થતી. સરકાર તેની રક્ષા કરે છે."
કર્ણાટકમાં આગામી મહિનાઓમાં વિધાનસભા ચુંટણી થવાની છે.
બેલગાવીની રેલીમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. રાહુલ ગાંધી, ખડગે અને કૉંગ્રેસ નેતાઓએ કર્ણાટકના લોકોને ઘણા વાયદા કર્યા.
જેમાં ગ્રેજ્યુએટ યુવાનોને બે વર્ષ સુધી દર મહિને 3,000 રૂપિયા, ડિપ્લોમા હોલ્ડરને દર મહિને 1,500 રૂપિયા, બે વર્ષમાં 10 લાખ યુવાનોને રોજગારી અને 2.5 લાખ સરકારી નોકરીઓ જેવા વચનોનો સમાવેશ થાય છે.






