દિલ્હી દારૂ ગોટાળો : ઈડીની કલાકો પૂછપરછ બાદ ઑફિસમાંથી બહાર નીકળ્યાં કે. કવિતા
ઈડી ઑફિસમાં લગભગ અનેક કલાકો બાદની પૂછપરછ પછી ભારત રાષ્ટ્ર સમિતિનાં નેતા કે. કવિતા ઑફિસમાં બહાર આવ્યાં છે.
પ્રવર્તન નિદેશાલય (ઈડી) તેલંગણાના મુખ્ય મંત્રીનાં પુત્રી અને એમએલસી સભ્ય કે. વિરુદ્ધ દિલ્હીમાં કથિત દારૂ ગોટાળા મામલે તપાસ ચાલી કરી રહી છે.
શનિવારે પ્રવર્તન નિદેશાલયે કે. કવિતાને પૂછપરછ માટે તેની ઑફિસમાં બોલાવ્યાં હતાં.
બીઆરએસના કાર્યકરોએ હૈદરાબાદ અને તેલંગણાનાં અનેક શહેરોમાં કવિતાની પૂછપરછના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
દિલ્હીમાં પણ કે. ચંદ્રશેખર રાવના ઘરની બહાર બીઆરએસના ધારાસભ્યો અને સાંસદો એકઠા થયા હતા.
પ્રવર્તન નિદેશાલયનો દાવો છે કે કે. કવિતા દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સામેલ છે.
6 માર્ચે ઈડીએ કે. કવિતાના નજીકના બિઝનેસમૅન અરુણ પિલ્લઈની ધરપકડ કરી હતી.
ઈડીનો આરોપ છે કે પિલ્લઈ કે. કવિતા માટે કામ કરતા હતા અને દિલ્હીની દારૂની નીતિને લઈને તેના વતી મીટિંગમાં હાજરી આપતા હતા.
ઈડીનો આરોપ છે કે 'સાઉથ કાર્ટેલ'એ દારૂનીતિને પોતાના પક્ષમાં પ્રભાવિત કરવા માટે દિલ્હીની આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા હતા.
ઈડીનો દાવો કે 'સાઉથ કાર્ટેલ' પાછળ કે. કવિતા કારણભૂત છે.
દિલ્હીમાં કથિત દારૂ ગોટાળા મામલે સીબીઆઈ દિલ્હીના નાયબ મુખ્ય મંત્રીની ધરપકડ કરી ચૂકી છે. મનીષ સિસોદિયા હાલમાં EDની કસ્ટડીમાં છે. ઈડી તેમના પર અલગ કેસ ચલાવી રહી છે.
દારૂનીતિ પર વિવાદ બાદ દિલ્હી સરકારે ગયા વર્ષે ઑગસ્ટમાં તેને પાછી ખેંચી લીધી હતી.
ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે દિલ્હીની દારૂની નીતિમાં મોટું કૌભાંડ થયું છે અને તે દારૂના ખાસ ધંધાદારીઓને ફાયદો પહોંચાડવા માટે બનાવી હતી.