JNUએ કૅમ્પસમાં હડતાળ પર દંડનો આદેશ પાછો ખેંચ્યો
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વીસીએ ગુરુવારે ધરણા-પ્રદર્શનને સંબંધિત વિવાદાસ્પદ શિસ્તના નિયમો પાછા ખેંચી લીધા છે.
ગત 28 ફેબ્રુઆરીએ જેએનયુ પ્રશાસને એક અધિસૂચના જારી કરીને કૅમ્પસમાં શિસ્ત જાળવવા માટે કડક નિયમો લાગુ કરવા માટે નોટિસ જારી કરી હતી.
અગાઉ નવા નિયમોમાં ભૂખ હડતાળ પર 20,000 રૂપિયા અને વાંધાજનક વર્તન માટે 50,000 રૂપિયાના દંડની જોગવાઈ કરાઈ હતી.

ઇમેજ સ્રોત, ANI
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કૅમ્પસમાં શિસ્તના નિયમોમાં ફેરફાર કરતા યુનિવર્સિટીએ પાંચ હજારથી માંડીને પચાસ હજાર રૂપિયા સુધીના ભારે દંડની જોગવાઈ કરી હતી.
આ નિયમોને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તરફથી પણ મંજૂરી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરફથી નવા નિયમોની તીવ્ર ટીકા થઈ હતી.
હવે આ નોટિફિકેશન પાછું ખેંચી લેવામાં આવ્યું છે.











