વૅટરન
ક્રિકેટર ઈશાંત શર્માને ટેસ્ટ ક્રિકેટના એમના યોગદાન બદલ હંમેશાં યાદ રાખવામાં
આવશે. જોકે, ટેસ્ટમાં
એમણે મેળવેલી સિદ્ધિનું પુનરાવર્તન તેઓ વનડે ક્રિકેટમાં નહોતા કરી શક્યા.વન ડે ક્રિકેટમાં એમણે પોતાના જીવનનો 'સૌથી નબળો' તબક્કો નિહાળ્યો અને એ વેળાએ કઈ રીતે
મહેન્દ્ર સિંહ ધોનીએ એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હોવા અંગે એમણે વાત કરી છે.
'ક્રિકબઝ' સાથેની વાતચીતમાં ઈશાંતે 2013ની
ઑસ્ટ્રેલિયા સામેની એ વનડે મૅચની વાત વાગોળી હતી, જેમાં જૅમ્સ ફૉકનરે એમની એક ઓવરમાં જ
30 રન ફટકારી ભારતને હરાવી દીધું હતું.
એ
વખતે છેલ્લી ત્રણ ઓવરમાં ઑસ્ટ્રેલિયાને જીતવા માટે 44 રનની જરૂર હતી અને વિજય એના
માટે મુશ્કેલ જણાઈ રહ્યો હતો.ક્રિઝ પર
ઍડમ વૉગસ અને જૅમ્સ ફૉકનર હતા અને વૉગસ 72 રન કરી ચૂક્યા હતા.
એવામાં
ફૉકનર ઑસ્ટ્રેલિયા માટે હીરો બનીને ઊભર્યા અને એમણે ઈશાંતની એક જ ઓવરમાં ચાર
સિક્સર અને એક બાઉન્ડ્રી ફટકારી દીધી.ફૉકનરની આ સિદ્ધિ ઈશાંત માટે નાલેશીમાં ફેરવાઈ ગઈ હતી. એ મૅચ ત્રણ બૉલ બાકી
હતા ત્યારે જ ઑસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી.
એ
ઘટના ઈશાંતના કૅરિયર માટે સેટબૅક બની રહી હતી.જેવાતે ઈશાંતને સૌથી વધુ દુખી
કર્યા હતા એ હતી કે એમની ઓવરમાં ફૉકનરે ફટકારેલા એ 30 રન હતા જેના લીધે ભારતનો
પરાજય થયો હતો.ઈશાતે જણાવ્યું હતું કે એ
મૅચ પછી લગભગ એક મહિના સુધી તેઓ રડ્યા હતા.
ફાસ્ટ
બૉલરે ઉમેર્યું હતું, "ઑસ્ટ્રેલિયા સામેની એ મૅચ મારો સૌથી નબળો
તબક્કો હતી.એ મારા માટે ભારે મુશ્કેલ
હતું. મેં ઘણા રન આપ્યા એ નહીં, પણ હું ટીમના પરાજયનું કારણ બન્યો એ વાત મને સૌથી વધુ ડંખી હતી.એ વખતે હું મારી પત્નીને ડૅટ કરી રહ્યો હતો.
હું એમની સાથે વાત કરતો અને લગભગ એક મહિના સુધી રડતો રહ્યો હતો. હું એમને રોજ ફોન
કરતો અને રડતો કે ટીમ મારા લીધે હારી ગઈ."
"જોકે, સારી બાબત એ હતી કે માહીભાઈ (એમ.એસ.
ધોની) અને શીખર ધવન મારા રૂમમાં આવ્યા હતા અને એમણે કહ્યું હતું, 'જો, તું સારું રમી રહ્યો છે.માત્ર એ એક મૅચના લીધે લોકો એવું માનવા લાગ્યા
હતા કે હું વનડેનો બૉલર નથી.'
એ
સિરીઝમાં ઈશાંતને ટીમ11માંથી બહાર કરી દેવાયા હતા અને 2016માં એમણે પોતાની છેલ્લી
મૅચ રમી હતી.