ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરાશે તો દેશ દેવાળિયો થઈ જશે- મનોહરલાલ ખટ્ટર

ઇમેજ સ્રોત, ANI
હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ)ની ટીકા કરતા કહ્યું કે જો તેને લાગુ કરાશે તો દેશ દેવાળિયો થઈ જશે.
તેમણે કહ્યું કે ઓલ્ડ પેન્શન સ્કીમની માત્ર જાહેરાતો કરાય છે, પણ તેને માત્ર સંસદમાં પાસ કરાવી શકાય છે.
ખટ્ટરે કહ્યું, "મારી પાસે કાલેજ એક વૉટ્સઍપ ગ્રૂપ આવ્યું છે. તેમાં કેન્દ્રના એક અધિકારીએ સ્પષ્ટ લખ્યું છે કે જો ઓલ્ડ પેન્શન સ્કીમને લાગુ કરાશે તો 2030 સુધી દેશ દેવાળિયો થઈ જશે."
તેમણે કહ્યું, "સંસદ વિના તેને લાગુ ન કરી શકાય. રાજસ્થાને આ પણ વિષયને પાછો લઈ લીધો છે કે અમે ન કરી શકીએ. જાહેરાત તો એક રાજકીય હોય છે. તમારે મનમોહનસિંહજીનું 2006નું નિવેદન સાંભળવું જોઈએ. તેઓ વડા પ્રધાન ભલે ગમે તેવા હતા, પણ અર્થશાસ્ત્રી સારા હતા."
"તેમનું નિવેદન છે કે આગળ સિસ્ટમમાં કર્મચારી તરીકે જે લોકો જશે તેનાથી એક દબાણ ઊભું થશે. તેના હિસાબે જે વેતન અને પેન્શન વધે છે, તે પેન્શનને લીધે આગામી સમયમાં આપણે બધાં કામ રોકીને એના ચક્કરમાં રહી જશું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તાજેતરમાં ભારતીય રિઝર્વ બૅન્કે કેટલાંક રાજ્યોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાવવા અંગે સાવધ કર્યા હતા. આરબીઆઈએ તેનાથી ફંડ વિનાની દેણદારીઓ વધવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
આ અગાઉ રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડની સરકારોએ કેન્દ્ર સરકારને ઓલ્ડ પેન્શન સ્કીમ ફરીથી શરૂ કરવાના નિર્ણયની જાણકારી આપી હતી.









