કેન્દ્ર સરકારની નવી ઍડવાઈઝરી: દરરોજ અડધો કલાકનો 'જનહિત કાર્યક્રમ' પ્રસારિત કરવો જરૂરી

ઇમેજ સ્રોત, ANI
સોમવારે જારી કરાયેલ ઍડવાઈઝરીમાં, કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખાનગી ટીવી ચૅનલોને દરરોજ 30 મિનિટ માટે 'જનહિતના કાર્યક્રમો' પ્રસારિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
સોમવારે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો એટલે કે પીઆઈબીની વેબસાઈટ પર મુકવામાં આવેલ એક રીલીઝમાં આ માહિતી આપવામાં આવી છે.
'જાહેર હિતના કાર્યક્રમ'નો અર્થ સ્પષ્ટ કરતાં આ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે સામગ્રી રાષ્ટ્રીય મહત્ત્વ અને સામાજિક સુસંગતતાવાળી હોવી જોઈએ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમાં શિક્ષણ અને સાક્ષરતાનો પ્રચાર, કૃષિ અને ગામડાઓમાં વિકાસ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, વિજ્ઞાન અને ટેકનૉલૉજી, મહિલા કલ્યાણ, નબળા વર્ગોનું કલ્યાણ, રાષ્ટ્રીય એકીકરણ, પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.
આ રિલીઝ અનુસાર, "ગયા વર્ષે 9 નવેમ્બરે, 'ભારતમાં ટેલિવિઝન ચૅનલોના અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ સંબંધિત માર્ગદર્શિકા, 2022' જારી કરવામાં આવી હતી. તેમાં, ખાનગી પ્રસારકોને દરરોજ 30 મિનિટ માટે જનહિતના કાર્યક્રમો પ્રસારિત કરવાની જરૂરિયાત જણાવવામાં આવી હતી.”
સરકારના જણાવ્યા અનુસાર, "આ સંદર્ભમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખાનગી ટીવી ચૅનલો અને તેમના સંગઠનો સાથે વ્યાપક પરામર્શ કરીને તેમની પાસેથી મળેલી સલાહના આધારે 30 જાન્યુઆરીએ આ ઍડવાઈઝરી જારી કરી છે."
આ ઍડવાઈઝરીમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે આવી સામગ્રીને 30 મિનિટ સુધી સતત પ્રસારિત કરવી જરૂરી નથી, બલ્કે તેને નાના સ્લૉટમાં પ્રસારિત કરી શકાય છે.
એટલું જ નહીં, બ્રૉડકાસ્ટર્સે 'બ્રૉડકાસ્ટ સર્વિસ પોર્ટલ' પર દર મહિને ઑનલાઈન રિપોર્ટ જમા કરવાનો રહેશે.












