ઋષભ પંતે પોતાની સર્જરી વિશે ટ્વીટ કરીને શું કહ્યું?

પંત ગત મહિને એક કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા, દહેરાદૂનમાં પ્રાથમિક ઉપચાર બાદ મુંબઈમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

લાઇવ કવરેજ

  1. ઋષભ પંતે પોતાની સર્જરી વિશે ટ્વીટ કરીને શું કહ્યું?

    ઋષભ પંત

    ઇમેજ સ્રોત, Getty Images

    ક્રિકેટર ઋષભ પંતે જણાવ્યું કે તેમની સર્જરી સફળ રહી છે.

    ઋષભ પંત ગત મહિને એક કાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. દેહરાદૂનમાં પ્રારંભિક સારવાર પછી હવે તેમની સારવાર મુંબઈમાં ચાલી રહી છે.

    દુર્ઘટના પછી પહેલી વખત પોતાના ટ્વિટર પર તેમણે લખ્યું કે, "હું તમારા સહયોગ અને પ્રાર્થનાઓ માટે આભારી છું. મને એ જણાવતા ખુશી થાય છે કે મારી સર્જરી સફળ રહી છે. સ્વસ્થ થવાના રસ્તે છું. હું આવનારી ચેતવણીઓ માટે તૈયાર છું. બીસીસીઆઈ, જય શાહ અને સરકારી અધિકારીઓનો ખૂબ આભાર."

    "હું મારા બધા ફૅન્સ, ટીમના સભ્યો, ડૉક્ટર, ફિઝિયોને તેમના પ્રોત્સાહન અને પ્રાર્થના માટે દિલથી આભાર માનું છું. હું પોતાને ફીલ્ડ પર જોવા માટે ઉત્સાહિત છું."

    30 ડિસેમ્બરના દિલ્હી-દેહરાદૂર હાઈવે પર ઋષભ પંતની ગાડી ડિવાઇડરથી ટકરાઈ ગઈ અને તેમાં આગ લાગી ગઈ હતી.

    પંતને પહેલા દેહરાદૂનમાં સારવાર માટે દાખલ કરાયા હતા, ત્યાર બાદ તેમને મુંબઈમાં એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

  2. ગંગાવિલાસ ક્રૂઝને કૉંગ્રેસે 'ભદું' ગણાવ્યું

    ગંગાવિલાસ ક્રૂઝ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ગંગાવિલાસ ક્રૂઝ

    ભાજપના મહત્ત્વકાંક્ષી ગંગાવિલાસ ક્રૂઝ પર કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કૉંગ્રેસના સાંસદ જયરામ રમેશે તેને ‘ભદું’ ગણાવ્યું છે.

    તેમણે એક ટ્વીટમાં લખ્યું છે કે, “વડા પ્રધાન દ્વારા અનાવરણ કરાયેલું ગંગા ક્રૂઝ ભદું છે. કેટલાક અમીર લોકો સિવાય 50 લાખ રૂપિયા કોણ આપી શકે? ગંગા ન તો શુદ્ધ છે, ન તો અવિરલ. હવે આ ક્રૂઝના કારણે નેશનલ ઍક્વેટિક મૅમલ-ગંગા ડૉલ્ફિન પર જોખમ ઊભું થશે.”

    13 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી લાંબા ક્રૂઝ ગંગાવિલાસને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઑફ કર્યું હતું. ગંગાવિલાસ ક્રૂઝ વારાણસીના રવિદાસ ઘાટથી ઊપડીને બિહાર, બંગાળ, બાંગ્લાદેશ થઈને આસામના દિબ્રુગઢ પહોંચશે, સમગ્ર યાત્રા 51 દિવસની રહેશે.

    આ યાત્રીજહાજ ભારત અને બાંગ્લાદેશની સાત નદીઓ ગંગા, ભાગીરથી, મેઘના, હુગલી, યમુના, પદમા અને બ્રહ્મપુત્રથી થઈને પસાર થશે. આ યાત્રાથી 50 પર્યટનસ્થળ એકબીજા સાથે જોડાશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. મૅરિટલ રેપ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે 15 ફેબ્રુઆરી સુધી જવાબ માગ્યો, સુચિત્ર મોહંતી, બીબીસી ગુજરાતી માટે

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    મૅરિટલ રેપ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે 15 ફેબ્રુઆરી સુધી જવાબ માગ્યો છે.

    સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારનો પક્ષ મૂકતા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આને ગુનાહિત ગણવાના ન્યાયિક જ નહીં પરંતુ સામાજિત પરિણામ પણ હશે.

    ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ત્રણ જજોવાળી પીઠમાં જસ્ટિસ નરસિમ્હા અને જેબી પાદરીવાલા સામેલ છે.

    સુપ્રીમ કોર્ટમાં આ મામલે માર્ચમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું કે તે આ મામલાને કોઈ હાઈકોર્ટને ન આપીને પોતે આ મામલા પર સુનાવણી કરશે.

    આ મામલા પર સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ કહ્યું કે, “ન્યાયિક સાથે આ મામલાના સામાજિક પરિણામ પણ હશે. આ મામલે રાજ્યોનો મત પણ જાણવા માગીએ છીએ. કેટલાક મહિના પહેલાં અમે રાજ્યો પાસે તેમનો મત માગ્યો હતો.”

    સુપ્રીમ કોર્ટ મૅરિટલ રેપને ગુનાહિત ઠેરવવા અંગેની અનેક અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આમાંથી એક અરજી કર્ણાટક હાઈકોર્ટના એ નિર્ણયની વિરુદ્ધ પણ છે જેમાં એક વ્યક્તિ પર પોતાની પત્નીના રેપ અને તેને સેક્સ સ્લેવ બનાવવાનો આરોપ હતો પરંતુ તેમાં રેપ સાથે જોડાયેલા સેક્શનને રદ કરવામાં આવ્યો હતો.

  4. શિક્ષકોને ફિનલૅન્ડ જતા રોકવા માટે કેજરીવાલનો વિરોધ

    અરવિંદ કેજરીવાલ

    ઇમેજ સ્રોત, ARVIND KEJRIWAL

    ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ

    દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તેમના સમર્થકો સાથે દિલ્હી સરકાર દ્વારા શિક્ષકોને ફિનલૅન્ડ જતા રોકવાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે, આ પ્રદર્શન માર્ચ એલજીના નિવાસસ્થાન સુધી કરવામાં આવશે.

    દિલ્હી સરકાર શિક્ષકો અને સ્કૂલના પ્રિન્સિપાલને તાલીમ માટે ફિનલૅન્ડ મોકલી રહી હતી, પરંતુ ભૂતકાળમાં એલજી વીકે સક્સેનાએ આ પ્રસ્તાવિત પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો હતો.

    આ મુદ્દે શુક્રવારે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના એલજી વીકે સક્સેનાને મળવા ગયા હતા અને તેમની સાથે પુસ્તક લઈ ગયા હતા. તેઓએ કહ્યું હતું કે, અમે એલજી સાથે મળીને કામ કરવા માગીએ છીએ.

    મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “પોલીસ, કાયદો અને જમીન ઉપરાજ્યપાલનો વિષય છે અને બાકીનો અધિકાર ચૂંટાયેલી સરકાર પાસે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્સફર અંગે ઉપરાજ્યપાલે નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી, એટલે કે જસ્મીન શાહની ઑફિસ સીલ કરવી, તેઓને પ્રિસાઇડિંગ અધિકારી બનાવવા, 164 કરોડની વસૂલાતનો આદેશ આપવો અને હવે શિક્ષકોને ફિનલૅન્ડ જતા રોક્યા આ બધુ ગેરબંધારણીય છે.”

    ગયા અઠવાડિયે નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદીયાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, “એલજીએ કાસ્ટ બેનિફિટ એનાલિસિસનો તર્ક આપીને દિલ્હી સરકારના 30 શિક્ષકોની ફિનલૅન્ડમાં સૂચિત તાલીમ પર પ્રતિબંધ લગાવી દીધો છે.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. નેપાળ દુર્ઘટના : 'મુસાફરો જીવિત હોવાની શક્યતા ઓછી', પ્લેન કેવી રીતે ક્રૅશ થયું?

  6. એક ટકા ધનાઢ્ય લોકો પાસે દેશની 40 ટકા સંપત્તિ છે- રિપોર્ટ

    એક ટકા ધનાઢ્ય લોકો પાસે દેશની 40 ટકા સંપત્તિ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, એક ટકા ધનાઢ્ય લોકો પાસે દેશની 40 ટકા સંપત્તિ

    ભારતના એક ટકા ધનાઢ્ય લોકો પાસે દેશની કુલ સંપત્તિનો 40 ટકા ભાગ છે, જ્યારે નીચલા સ્તરની અડધી વસતી પાસે દેશની માત્ર 3 ટકા સંપત્તિ છે.

    ઑક્સફૅમ ઇન્ડિયાના સોમવારે મળેલા રિપોર્ટ ‘સર્વાઇકલ ઑફ ધ રિચેસ્ટ’ અનુસાર, વર્ષ 2022માં દેશના 100 સૌથી ધનાઢ્ય લોકો પાસે 54.12 લાખ કરોડની સંપત્તિ છે, જ્યારે 10 સૌથી ધનાઢ્ય લોકો પાસે 27.52 લાખ કરોડની સંપત્તિ છે, વર્ષ 2021ની સરખામણીએ તેમાં 32.8 ટકાનો વધારો થયો છે.

    આ સાથે જ ભારતમાં કુલ અબજોપતિની સંખ્યા પણ વધી ગઈ છે. વર્ષ 2020માં આ આંકડો 102 હતો, જે વધીને 2021માં 142 અને 2022માં 166 થઈ ગયો છે.

    તેનાથી વિપરીત ભારતમાં 22.89 કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે, જે દુનિયામાં સૌથી વધુ છે.

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જો ટૅક્સને ગતિશીલ બનાવવામાં નહીં આવે, તો તેનાથી દેશમાં અસમાનતાઓ વધશે.”

    ઑક્સફૅમ ઇન્ડિયાનું કહેવું છે કે, “ભારતમાં ટૅક્સના દર આવક પર આધારિત હોય છે, પરંતુ પરોક્ષ ટૅક્સ તમામ માટે સમાન હોય છે, તેની કમાણી જેટલી પણ હોય, તેમાં બદલાવ લાવવાની જરૂર છે.”

  7. નેપાળ વિમાન દુર્ઘટના : લૅન્ડિંગ પહેલાં પાઇલટે કેમ કહ્યું, 'હું નિર્ણય બદલી રહ્યો છું'

  8. RRR ફિલ્મને બીજો મોટો ઍવૉર્ડ મળ્યો, ‘નાટૂ નાટૂ’ બન્યું સર્વશ્રેષ્ઠ ગીત

    આરઆરઆર ફિલ્મ

    ઇમેજ સ્રોત, FACEBOOK/RRR

    ઇમેજ કૅપ્શન, આરઆરઆર ફિલ્મ

    ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ બાદ તેલુગુ ફિલ્મ ‘આરઆરઆર’ને હવે ક્રિટિક્સ ચોઈસ ઍવૉર્ડ 2023માં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો છે.

    સાથે જ ફિલ્મના ‘નાટૂ-નાટૂ’ ગીતને પણ બેસ્ટ ઓરિજિનલ ગીતનો ઍવૉર્ડ મળ્યો છે.

    ક્રિટિક્સ ચોઇસ ઍવૉર્ડ્સના ટ્વિટર હૅન્ડલ પર તેની માહિતી આપવામાં આવી છે.

    લખવામાં આવ્યું છે કે, “આરઆરઆર ફિલ્મના કાસ્ટ અને ક્રૂને ખૂબ શુભેચ્છા- ફિલ્મે શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ ઍવૉર્ડ જીત્યો છે.”

    જુનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મના ‘નાટૂ-નાટૂ’ ગીતે બેસ્ટ ઓરિજિનલ ગીતનો ક્રિટિક્સ ચોઇસ ઍવૉર્ડસ પણ પોતાના નામે કર્યો છે.

    આરઆરઆર ફિલ્મના ટ્વિટર હૅન્ડલ પરથી આ માહિતી આપવામાં આવી છે કેફિલ્મના ‘નાટૂ-નાટૂ’ ગીતને પણ ઍવૉર્ડ મળ્યો છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    ટ્વીટર પર લખવામાં આવ્યું છે કે, “ફરી એક વાર ‘નાટૂ-નાટૂ’...ખૂબ જ આનંદ સાથે અમે આ માહિતી આપી રહ્યા છે કે, ક્રિટિક્સ ચોઈસ ઍવૉર્ડ્સ 2023માં નાટૂ-નાટૂને બેસ્ટ ગીતનો ઍવૉર્ડ મળ્યો છે.”

    ગયા અઠવાડિયે ફિલ્મના ‘નાટૂ-નાટૂ’ ગીતને ગોલ્ડન ગ્લોબમાં બેસ્ટ ઓરિજિનલ ગીતનો ઍવોર્ડ મળ્યો હતો.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    ‘ક્રિટિક્સ ચોઇસ મૂવી ઍવૉર્ડસ’ એ અમેરિકન-કૅનેડિયન ક્રિટિક્સ ચોઇસ ઍસોસિયેશન (સીસીએ) દ્વારા આયોજિત વાર્ષિક ઍવૉર્ડ શો છે, જે સિનેમાની દુનિયામાં વર્ષનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ, ફિલ્મ, સંગીત અને નવી સિદ્ધિઓને સન્માનિત કરે છે.

  9. અફઘાનિસ્તાન: પૂર્વ મહિલા સાંસદની ગોળી મારીને હત્યા કરાઈ

    મુરસલ નબીઝાદા

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, મુરસલ નબીઝાદા

    અફઘાનિસ્તાનનાં પૂર્વ સાંસદ અને તેમના સુરક્ષાકર્મીની કાબુલમાં તેમના નિવાસસ્થાન પર ગોળીમારીને હત્યા કરવામાં આવી છે.

    32 વર્ષીય મુરસલ નબીઝાદા એ મહિલા સાંસદોમાંનાં એક છે, જેમણે ઑગસ્ટ 2021માં તાલિબાનના પરત આવ્યા બાદ પણ દેશ છોડ્યો ન હતો.

    રવિવારે તેમના પર થયેલા હુમલામાં તેમના ભાઈ અને અન્ય સુરક્ષાકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.

    જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું પુનરાગમન થયુંત્યારથી મહિલાઓને તમામ પ્રકારના જાહેરજીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે.

    કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝાદરાને કહ્યું હતું કે, “સુરક્ષાદળોએ ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે.”

    પૂર્વ ધારાસભ્ય મરિયમ સુલેમાનખીલે કહ્યું છે કે, “નબીઝાદા એક સાચાં માર્ગદર્શક, મજબૂત મહિલા હતાં, તેઓ જોખમ હોવા છતાં પોતાના દૃઢ વિશ્વાસ પર અડગ રહ્યાં. તેમની પાસે અફઘાનિસ્તાન છોડવાની તક હતી, છતાં તેઓએ ત્યાં રહેવાનું પસંદ કર્યું.”

    નબીઝાદા નંગરહારના પૂર્વ પ્રાંતમાંથી વર્ષ 2018માં ચૂંટાઈને સંસદ પહોંચ્યાં હતાં.

    તેઓ સંસદીય સંરક્ષણ આયોગનાં સભ્ય હતાં અને માનવ સંસાધન વિકાસ સંસ્થામાં કામ કરતાં હતા.

  10. નેપાળ દુર્ઘટનાની તપાસ સમિતિને હવે બ્લૅક બૉક્સનો ઇંતેજાર

    નેપાળ

    નેપાળના પોખરા આંતરરાષ્ટ્રીય હવાઈમથક પાસે વિમાન દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી સમિતિ હવે યતી ઍરલાઇન્સના વિમાનના બ્લૅક બૉક્સની રાહ જોઈ રહી છે.

    અધિકારીઓએ કહ્યું કે બચાવકર્મી રવિવાર રાતથી ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે, અત્યાર સુધીમાં 68 મૃતદેહ બહાર કઢાયા છે.

    સોમવારથી વિમાનના બ્લૅક બૉક્સને શોધવાની કામગીરી ચાલી રહી છે.

    અધિકારીઓનું માનવું છે કે વિમાનના પાછળના ભાગે લાગેલા આ ઉપકરણથી વિમાન દુર્ઘટનાનાં કારણોની ખબર પડશે.

    તપાસ સમિતિના સભ્ય સચિવ બુદ્ધિસાગર લામિછાનેએ બીબીસી નેપાળી સેવાને કહ્યું, "બ્લૅક બૉક્સ જણાવે છે કે વિમાન કેવી સ્થિતિમાં હતું, વિમાનના કયા ભાગનો શું સંકેત હતો, શું દુર્ઘટના અચાનક થયેલી કોઈ ગરબડને લીધે થઈ? બ્લૅક બૉક્સથી ખબર પડશે કે દુર્ઘટના માટે બહારનું કારણ જવાબદાર હતું કે આંતરિક."

    લામિછાનેએ કહ્યું કે વિમાનના બ્લૅક બૉક્સમાં ફ્લાઇટ ડેટા રેકૉર્ડર અને કૉકપિટ વાઇસ રેકૉર્ડર બંને હશે, આથી એ તપાસમાં ઘણું ઉપયોગી થશે.

  11. નેપાળ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં શું થયું?

    વિમાન દુર્ઘટના

    ઇમેજ સ્રોત, KRISHNAMANI BARAL

    ઇમેજ કૅપ્શન, વિમાન દુર્ઘટના

    નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતી ઍરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

    નેપાળનું પોખરા આંતરરાષ્ટ્રીય હવાઈમથક નેપાળે ચીનની મદદથી બનાવ્યું છે.

    બે અઠવાડિયાં પહેલાં નેપાળના વડા પ્રધાન પુષ્પકમલ દહાલ પ્રચંડે આ હવાઈમથકનું ઉદ્ધાટન કર્યું હતું.

    1લી જાન્યુઆરીએ ઉદ્ધાટન સમયે તેમણે કહ્યું હતું કે, આ ક્ષેત્રનો દુનિયા સાથે સંબંધ સ્થાપિત થઈ રહ્યો છે.

    આ હવાઈમથકની રવિવારે થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 68 લોકોનાં મૃત્યુ થયાં છે.

    ગયા વર્ષે ચીનના વિદેશમંત્રી વાંગ યીએ નેપાલના તત્કાલીન વડા પ્રધાન શેર બહાદુર દેઉબાને એક શિષ્ટાચાર ફોન દ્વારા આ હવાઈમથક સોંપ્યું હતું.

    ચીનના કાઠમાંડુસ્થિત દૂતાવાસે કહ્યું હતું કે, “ચીન અને નેપાળની ભાગીદારીમાં બાંધવામાં આવનાર આ એક મહત્ત્વપૂર્ણ બેલ્ટ ઍન્ડ રોડ પ્રોજેક્ટ છે, નેપાળ અને તેની જનતાને ઘણી શુભેચ્છાઓ."

    રવિવારે શું થયું હતું?

    વિમાન દુર્ઘટના

    ઇમેજ સ્રોત, ASHOK DAHAL/BBC

    ઇમેજ કૅપ્શન, વિમાન દુર્ઘટના

    રવિવારે સવારે 11 વાગ્યે હવાઈમથક નજીક યતી ઍરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

    આ વિમાને કાઠમાંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી અને લૅન્ડિંગ પહેલાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

    રાહત-કામગીરીમાં લાગેલા આધિકારીઓએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધી 68 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.”

    નેપાળના વડા પ્રધાન પુષ્પ કુમાર દહાલ પ્રચંડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના ઘણા નેતાઓએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. નેપાળ સરકારે દુર્ઘટનાની તપાસ માટે એક કમિશનની રચના કરી છે.

    નેપાળની વિમાન દુર્ઘટના અંગે અત્યા રસુધી શું માહિતી મળી?

    • નેપાળમાં પોખરા હવાઈમથક નજીક એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું
    • અત્યાર સુધી 68 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે
    • 72 સીટવાળા આ વિમાનમાં 68 મુસાફરો અને ચાલકદળના ચાર સભ્યો સવાર હતા
    • વિમાનમાં પાંચ ભારતીય નાગરિક પણ હાજર હતા
    • વિમાન લૅન્ડ થતા પહેલાં પાઇલટે લૅન્ડિંગ પૅડ બદલવાનો નિર્ણય કર્યો હતો
    • વિમાનમાં નેપાળના 53, રશિયાના ચાર, કોરિયાના બે અને આયરલૅન્ડ, અર્જેન્ટીના, ઑસ્ટ્રેલિયા અને ફ્રાન્સના એક-એક મુસાફરો બેઠેલા હતા
  12. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    15 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.