ભારત વિ. શ્રીલંકા : ભારતે શ્રીલંકાને ત્રીજી વનડેમાં 317 રને હરાવ્યું, વનડે ઇન્ટરનેશનલ મૅચમાં સૌથી મોટી જીત

ઇમેજ સ્રોત, ANI
ભારતે શ્રીલંકા સાથે વનડે સિરીઝની ત્રીજી મૅચ જીતી લીધી છે.
તિરુવનંતપુરમમાં થયેલ ત્રીજી મૅચમાં ભારતે શ્રીલંકાને 317 રને હરાવી દીધું. આ રનોના અંતરના હિસાબે ભારતની વનડેમાં સૌથી મોટી જીત છે.
391 રનના લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાની સમગ્ર ટીમ 73 રન પર જ આઉટ થઈ ગઈ. ભારતે ત્રણ મૅચોની સિરીઝમાં શ્રીલંકાને વ્હાઇટવૉશ કર્યું હતું.
વનડે ઇતિહાસમાં શ્રીલંકા પ્રથમ એવી ટીમ છે જેણે 300 રને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે ચાર વિકેટ લીધી.
આ પહેલાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાને 391 રનનું લક્ષ્ય આપ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ















