રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે
કહ્યું છે કે ઇસ્લામને ભારતમાં કોઈ ખતરો નથી, પરંતુ તેને “અમે સર્વોચ્ચ છીએ”નો ભાવ
છોડવો પડશે.
આરએસએસ
સાથે સંકળાયેલા મેગેઝિનો ‘પાંચજન્ય’ અને ‘ઑર્ગનાઇઝર’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોહન ભાગવતે
એલજીબીટી સમુદાયનું પણ સમર્થન કર્યું અને કહ્યું કે તેમની નિજતાનું સમ્માન કરવું
જોઈએ.
સમાચાર એજન્સી
પીટીઆઈ અનુસાર, ભાગવતે કહ્યું, “હિંદુ આપણી
ઓળખ, રાષ્ટ્રીયતા અને સહુને પોતાના માનવા, સાથે લઈને ચાલવાની પ્રવૃત્તિ છે.
હિંદુસ્થાન, હિંદુસ્થાન બનેલું રહે, સીધી વાત છે. એનાથી આજ ભારતમાં જે મુસલમાન છે
તેમને કોઈ નુકસાન નથી. તેઓ છે. રહેવા માગે છે, રહે. પૂર્વજ પાસે પરત જવા માગે છે,
આવે. તેમની ઇચ્છા છે.”
ભાગવતે
કહ્યું, “ઇસ્લામને
કોઈ ખતરો નથી, પરંતુ મુસલમાનોએ અમે મોટા છીએ, અમે એક સમયે રાજા હતા, અમે ફરીથી
બનીએ... એ (ભાવ) છોડવો પડશે, કમ્યુનિસ્ટ (સામ્યવાદી)
છે, તેમણે પણ છોડવો પડશે.”
આ ઉપરાંત
વસતીની સંખ્યાની નીતિ વિશે ભાગવતે કહ્યું, “વસતીની સંખ્યા એક ભાર પણ છે અને એક ઉપયોગી બાબત પણ છે, એવામાં દૂરગામી અને ઊંડા
વિચાર સાથે એક નીતિ બનવી જોઈએ. એ નીતિ બધા પર સમાનરૂપે લાગૂ થવી જોઈએ, પરંતુ એના
માટે જબરદસ્તીથી કામ નહીં ચાલે. એના માટે શિક્ષિત કરવા પડશે.”