ભારતની એપ્રિલ-નવેમ્બર મહિનાની રાજકોષીય ખાધ વધીને 58.9 ટકા થઈ

ચાલુ નાણાકીય વર્ષના નવેમ્બર સુધીના આઠ મહિનામાં ભારતની રાજકોષીય ખાધ 9.78 લાખ કરોડ કે વાર્ષિક અંદાજના 58.9 ટકા રહી છે.

લાઇવ કવરેજ

  1. યુપી : જે યુવતીની હત્યામાં એક નિર્દોષને સાત વર્ષ જેલમાં વિતાવવાંપડ્યાં, એ યુવતી જ જીવિત નીકળી

    વિષ્ણુ

    ઇમેજ સ્રોત, Office of NHRC

    ઉત્તર પ્રદેશ પોલીસની તપાસમાં એક ભૂલને લીધે સાત વર્ષથી જેલમાં બંધ વિષ્ણુ નામની એક નિર્દોષ વ્યક્તિના કેસમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિદેશકને તપાસનો નિર્દેશ કર્યો છે.

    આ મામલે એનએચઆરસીમાં સુપ્રીમ કોર્ટના વકીલ અને માનવાધિકાર કાર્યકર રાધાકાંત ત્રિપાઠીએ અરજી દાખલ કરી હતી. આ કેસની શરૂઆત વર્ષ 2015માં એ વખતે થઈ જ્યારે 17 વર્ષની એક યુવતી ગાયબ થઈ ગઈ.

    યુવતીના પિતાએ એફઆઈઆર નોંધાવી. 17 ફેબ્રુઆરી, 2015ના રોજ અલીગઢ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 363 (અપહરણ) અને 366 (લગ્નની લાલચ આપીને અપહરણ કરવું) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો.

    એ બાદ 24 માર્ચ, 2015ના રોજ એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો. ગુમ થયેલી યુવતીના પરિવારજનોએ મૃતદેહની ઓળખ પોતાની પુત્રી તરીકે કરી.પરિવારજનોએ વિષ્ણુ પર છોકરીના અપહરણનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે છેલ્લી વખત યુવતી વિષ્ણુ સાથે જ જોવા મળી હતી.

    આ કેસમાં પોલીસે હાથરસનારહેવાસી વિષ્ણુની ધરપકડ કરી હતી.

    પોલીસે આઈપીસીની ધારા 302 અંતર્ગત કેસ નોંધ્યો હતો અને વિષ્ણુ પર પુરાવા નષ્ટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે લાપતા થયેલી યુવતી જીવિત છે. આ જ યુવતીની હત્યાના આરોપમાં વિષ્ણુની ધરપકડ કરવામાં આવી હતી.

    ઍડ્વોકેટ રાધાકાંત ત્રિપાઠીએ બીબીસીને જણાવ્યું હતું કે આ મામલે એક નિદોર્ષ વ્યક્તિને જીવનનાં મહત્ત્વનાં સાત વર્ષો વગર કોઈ વાંકગુનાએ જેલમાં વિતાવવાં પડ્યાં. એમના જીવનનાં સાત વર્ષો કોણ પરત આપશે? આ માટે એમને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ.

    માનવાધિકાર આયોગે આ મામલે યુપી પોલીસના ડીજીપીને ચાર સપ્તાહની અંદર રિપોર્ટ દાખલ કરવા પણ કહ્યું છે.

    ઍડ્વોકેટ રાધાકાંત ત્રિપાઠીએ આરોપ લગાવ્યો છે કે વિષ્ણુ જે યુવતીની હત્યાના આરોપમાં બંધ છે, એના વિશે જાણવા મળ્યું કે એ જીવિત છે અને હાથરસમાં પોતાના પતિ સાથે રહે છે. એને બે બાળકો પણ છે.

    વિષ્ણુના પરિવારે આ મુદ્દાને ઉઠાવ્યો અને એમની મુક્તિ માટે માગ કરી. પોલીસે આ માલમે ફરીથી તપાસ શરૂ કરી છે. ઍડ્વોકેટ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ માલમે યુવતીની અટકાયત કરાઈ છે.

  2. ઋષભ પંતના અકસ્માત બાદ ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર શું લખ્યું?

    બદલો Instagram કન્ટેન્ટ
    Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    Instagram કન્ટેન્ટ પૂર્ણ

    ક્રિકેટર ઋષભ પંત માર્ગઅકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયા બાદ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શૅર કરી છે, જેની ચર્ચા ચાલી રહી છે. શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'પ્રાર્થના.'

    જોકે, આ પોસ્ટમાં અભિનેત્રીએ કોઈનું નામ નથી લખ્યું. કેટલાય લોકો આ પોસ્ટનું કનેક્શન પંત સાથે જોડી રહ્યા છે. કેટલાય લોકોએ આ પોસ્ટની કૉમેન્ટમાં પંત માટે પ્રાર્થના પણ કરી છે.

    ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંત શુક્રવારે સવારે કારઅકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઋષભની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઇડર સાથે અથડાઈ હતી.

    નોંધનીય છે કે અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન 'મિસ્ટર આરપી'નો ઉલ્લેખ કર્યો હો. જે બાદ ઋષભ અને ઉર્વશી વચ્ચે સોશિયલ મીડિયા પર અણબનાવની વાતો વહેતી થઈ હતી. આ ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ એવો દાવો પણ કર્યો હતો કે 'આરપી'એ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન એમને મળવા માટે રાહ જોઈ હતી અને તેમને 16-17 મિસ્ડ કૉલ પણ કર્યા હતા. પંતે આ બાદ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી અને સમગ્ર બાબતને 'હાસ્યાસ્પદ' ગણાવી હતી.

    આ દરમિયાન ગત મહિને ક્રિકેટર શુભમન ગિલે એક ચેટ શોમાં કહ્યું હતું, "ઋષભ પંત તરફથી કંઈ પણ નથી. એ વિચલિત નથી થતો. હકીકતમાં ઉર્વશી ઇચ્છે છે કે કોઈ એને ચીડવે."

  3. વર્ષ 2022-23 માટે ભારતની રાજકોષીય ખાધ વધીને વાર્ષિક અંદાજના 58.9 ટકા થઈ

    રાજકોષીય ખાધ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર નવેમ્બર માસ સુધીમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ માસમાં ભારતની રાજકોષીય ખાધ 9.87 લાખ કરોડ રહેવા પામી હતી. સરકારી ડેટા અનુસાર આ આંકડો વાર્ષિક અંદાજના 58.9 ટકા જેટલો છે.

    આ અગાઉના નાણાકીય વર્ષમાં આ સમયગાળા માટે રાજકોષીય ખાધ 46.2 ટકા રહી હતી.

    એપ્રિલથી નવેમ્બર માસ સુધીમાં રાષ્ટ્રની કુલ આવક 14.65 લાખ કરોડ રહી હતી, સામેની બાજુએ આ સમયગાળા માટે ખર્ચ 24.43 લાખ કરોડ રૂપિયા રહેવા પામ્યો હતો. આ આંકડા બજેટના લક્ષ્યના અનુક્રમે 64.1 ટકા અને 61.9 ટકા જેટલા હતા.

    14.32 લાખ કરોડ રૂપિયાની રેવન્યુમાંથી 12.25 લાખ કરોડ રૂપિયા ટૅક્સમાંથી એકઠા કરાયા હતા જ્યારે ટૅક્સ સિવાયની રેવન્યુ 1.98 લાખ કરોડ રૂપિયા રહી હતી.

    અગાઉના વર્ષે આ સમયગાળા દરમિયાન ઉપરોક્ત બંને પ્રકારની રેવન્યુ અનુક્રમે તત્કાલીન બજેટ અંદાજના 73.5 ટકા અને 91.8 ટકા હતી. જેમાં આ વખત સંકોચન જોવા મળ્યું છે આ વખત એપ્રિલથી નવેમ્બર સુધી બજેટ અંદાજની ટૅક્સ અને નોન-ટૅક્સ રેવન્યુ અનુક્રમે 63.3 અને 73.5 ટકા રહેવા પામી હતી.

  4. વડા પ્રધાન મોદીએ ઋષભ પંતના જલદી સ્વસ્થ થવાની કામના કરી

    નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ક્રિકેટર ઋષભ પંતના જલદી સ્વસ્થ થવાની કામના કરી.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, "જાણીતા ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતથી ચિંતિત છું. હું તેમના સ્વાસ્થ્ય અને કલ્યાણની કામના કરું છું."

    ભારતીય ક્રિકેટર ઋષભ પંત કાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. તેમની દિલ્હી-દેહરાદૂન હાઈવે પર શુક્રવાર સવારે ડિવાઇડરથી ટકરાઈ ગઈ.

    તેમની હાલત ખતરાની બહાર જણાવવામાં આવી રહી છે.

    હીરાબહેન મોદીને અસ્વસ્થ થતાં બુધવારે અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

  5. અકસ્માત બાદ હૉસ્પિટલ પહોંચેલા પંતે કહ્યું, ‘મને યાદ છે કે ઝોકું આવ્યું અને...’

  6. BCCIની મેડિકલ ટીમ ડૉક્ટરોના સીધા સંપર્કમાં, ઋષભ પંતની ઈજાઓની સંપૂર્ણ માહિતી જાહેર કરી

    ઋષભ પંત અકસ્માત

    ઇમેજ સ્રોત, ISHWER CHAND

    ઋષભ પંતનો શુક્રવારે સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર અકસ્માત સર્જાયો છે. બાદમાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

    બીસીસીઆઈએ તેમને પહોંચેલી ઈજા અંગે એક નિવેદન જાહેર કર્યું છે. બીસીસીઆઈના નિવેદન અનુસાર, ઋષભના માથે બે કટ પડ્યા છે. તેમના જમણા ઘૂંટણમાં લિગામૅન્ટ ફાટી ગયા છે અને જમણા કાંડા, પગની ઘૂંટી અને અંગૂઠામાં ઈજા પહોંચી છે.

    આ સિવાય પીઠ છોલાઈ જતાં ઈજા પહોંચી છે. તેમની હાલત સ્થિર છે અને હાલ તેમને દેહરાદૂનની મૅક્સ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

    નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, તેમની ઈજાઓનો ક્યાસ મેળવવા માટે એમઆરઆઈ સ્કૅન કરાવવામાં આવશે અને આગળની સારવારની તૈયારી કરવામાં આવશે.

    બીસીસીઆઈ ઋષભના પરિવારના સતત સંપર્કમાં છે અને તેમની મેડિકલ ટીમ હાલ ઋષભની સારવાર કરી રહેલા તબીબના સીધા સંપર્કમાં છે.

  7. ગુજરાત પોલીસે ટીએમસી નેતા સાકેત ગોખલેની ત્રીજી વખત ધરપકડ કરી

    સાકેત ગોખલેની ધરપકડ

    ઇમેજ સ્રોત, @SaketGokhale

    ગુજરાત પોલીસે ગુરુવારે સાંજે ટીએમસી નેતા સાકેત ગોખલેની ફરી એક વખત ધરપકડ કરી છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, "એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે ગુજરાત પોલીસની ટીમે સાકેત ગોખલેની ગુરુવારે સાંજે દિલ્હીથી ધરપકડ કરી છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    આ અધિકારીએ જણાવ્યું કે "ગોખલેની ધરપકડ ક્રાઉડ ફંડિંગ દ્વારા એકઠા કરાયેલા પૈસાના ખોટા ઉપયોગ મામલે ધરપકડ કરવામાં આવી છે."

    તેમની અમદાવાદની સાયબર ક્રાઇમ ટીમે ધરપકડ કરી છે, જે શુક્રવારે બપોર સુધીમાં તેમને લઈને અમદાવાદ પહોંચશે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે આ ત્રીજી વખત સાકેત ગોખલેની ધરપકડ કરી છે. આ પહેલાં છ ડિસેમ્બરે ગુજરાત પોલીસે સાકેત ગોખલેની ફેક ન્યૂઝ ફેલાવવા બદલ ધરપકડ કરી હતી.

  8. પોતાનાં માતાના નિધન બાદ મોદી કાર્યક્રમમાં કહ્યું 'અંગત કારણોથી આવી ન શક્યો, મને માફ કરશો'

    નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, Twitter/BJP4India

    ગાંધીનગરમાં પોતાનાં માતા હીરાબહેન મોદીના અંતિમસંસ્કાર બાદ પશ્ચિમ બંગાળમાં વડા પ્રધાન મોદીએ રેલવેના પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં વીડિયો લિંક વડે ભાગ લીધો. કાર્યક્રમને સંબોધતી વખતે તેમણે કહ્યું, "હું આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવા માગતો હતો, પરંતુ અંગત કારણોસર ન આવી શક્યો."

    પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ શુક્રવારના વડા પ્રધાન મોદીનાં માતાના નિધન પર તેમને આરામ કરવાનું કહ્યું છે.

    હીરાબેન મોદીએ શુક્રવારના ગુજરાતના અમદાવાદમાં નિધન થયું છે ત્યાર બાદ વડા પ્રધાને ગાંધીનગર પહોંચીને તેમને મુખાગ્નિ આપ્યો હતો.

    હીરાબહેન મોદીએ શુક્રવારના યુએન મહેતા હૉસ્પિટલમાં નિધન આખરી શ્વાસ લીધો હતો.

    વડા પ્રધાન મોદીએ પોતાનાં માતા હીરાબહેન મોદીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા બાદ તુરંત પશ્ચિમ બંગાળમાં રેલવેના કેટલાક પ્રોજેક્ટના લોકાર્પણમાં ભાગ લીધો હતો.

    વડા પ્રધાન મોદી આ કાર્યક્રમમાં પોતે ઉપસ્થિત થવાના હતા પરંતુ માતા હીરાબહેન મોદીના નિધન પછી તેઓ આ કાર્યક્રમમાં વીડિયો લિંક વડે જોડાયા હતા.

    આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પણ સામેલ થયાં હતાં.

    પરંતુ વડા પ્રધાનની હાજરીમાં તેમણે કહ્યું કે, "સર, પ્લીઝ થોડો આરામ કરો, મને નથી ખબર કે હું તમારા પરિજનો અને બાકી લોકો ને પોતાની સંવેદનાઓ કેવી રીતે પ્રકટ કરું કારણ કે માની જગ્યા કોઈ ન લઈ શકે. તમારાં માતા અમારાં માતા જેવાં હતાં."

    "મને મારાં માતાની યાદ આવી રહી છે. સર, ભગવાન તમને શક્તિ આપે જેથી તમે આગળ વધી શકો. આજનો દિવસ તમારા માટે દુખભર્યો છે. પરંતુ તમે વર્ચ્યુઅલી આવ્યા, આ આદરની વાત છે. તમે તમારા કામથી માતાને શ્રદ્ધાંજલિ આપી છે."

  9. વડા પ્રધાન મોદીએ માતાના અંતિમ સંસ્કાર કર્યા, બાદમાં રાજભવન પહોંચીને કામ શરૂ કર્યું

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    શુક્રવારે સવારે ગાંધીનગર સૅક્ટર-30માં આવેલા સ્મશાનમાં હીરાબામાં અંતિમ સંસ્કાર થયા હતા. વડા પ્રધાન મોદીએ તેમના ભાઈઓ સાથે માતાને અગ્નિદાહ આપ્યો હતો.

    સ્મશાનમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને રાજ્યના મંત્રીઓ હાજર રહ્યા હતા.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    યુ. એન. મહેતા હૉસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા બુલેટિન અનુસાર, બુધવારથી તેમની ત્યાં સારવાર મેળવી રહેલા હીરાબાનું શુક્રવારે સવારે 3:30 વાગ્યે નિધન થયું હતું.

    હીરાબાના નિધન બાદ દેશવિદેશના દિગ્ગજ નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

    બદલો X કન્ટેન્ટ, 3
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 3

    માતાની અંતિમક્રિયા પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે પશ્ચિમ બંગાળમાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.

    કાર્યક્રમને સંબોધતી વખતે તેમણે કહ્યું, "હું આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવા માગતો હતો, પરંતુ અંગત કારણોસર ન આવી શક્યો."

  10. ઋષભ પંતના અકસ્માત પર કપિલ દેવે કેમ કહ્યું- 'આવું ન કરવું જોઈએ'

    પૂર્વ ક્રિકેટ ખેલાડી કપિલ દેવે ક્રિકેટર ઋષભ પંતની કારના અકસ્માત પર કહ્યું કે, ‘ભગવાન કરે, જે ઋષભ પંત સાથે જે થયું તે કોઈની સાથે ન થાય.’

    ઋષભ પંતની કારનો ઉત્તરાખંડમાં હરિદ્વાર પાસે શુક્રવારના અકસ્માત થયો જ્યાર બાદ તેમને દેહરાદૂનસ્થિત મૅક્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

    આ દુર્ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે જેમાં પંતની કાર સળગેલી નજરે પડે છે.

    આ સમાચાર આવ્યા બાદ પંતના ફૅન્સની સાથે ક્રિકેટજગતથી જોડાયેલી સેલેબ્રિટીઝ તેમના જલદી સ્વસ્થ થવાને લઈને ટ્વીટ કરી રહી છે.

    પૂર્વ ક્રિકેટર કપિલ દેવે એક ખાનગી ચૅનલ સાથે વાત કરતા કહ્યું કે આ એક સબક છે.

    તેમણે કહ્યું કે, "આ દુર્ઘટનાથી આપણને શીખવા મળે છે કે એવું કોઈ કામ ન કરવું જોઈએ કે જેનાથી આવી દુર્ઘટના થાય. ખાસ કરીને આ ખેલાડીઓ માટે. મને એ સમય યાદ છે. હું એક ઊભરતો ખેલાડી હતો તો મારી મોટરસાઇકલનો અકસ્માત થયો હતો, ત્યાર બાદ મારા ભાઈએ મને મોટર સાઇકલ ચલાવવા ન દીધી."

    "આ પરથી આપણે શીખવું જોઈએ કે ઋષભ પંત સાથે જે થું તેવું કોઈ બીજા સાથે ન થાય. આ ભગવાનનો આભાર કે તેઓ સુરક્ષિત છે. આ મોટા ખેલાડીઓએ સંભાળીને રહેવું જોઈએ. પોતે ગાડી ન ચલાવવી જોઈએ. કારણ કે તમે ડ્રાઇવર અફોર્ડ કરી શકો છો."

    "હું માનું છું કે ગાડી ચલાવવાનો શોખ હોય. દરેક વ્યક્તિને શોખ થાય કે હું ગાડી ચલાવું, આ લોકોનું પૅશન હોય. આ ઉંમરમાં આવું થાય છે. પરંતુ જ્યારે તમારી ઉપર આટલી જવાબદારી હોય છે તો થોડું ધ્યાન રાખવું આપણા પર નિર્ભર કરે છે."

  11. પાકિસ્તાનના વડા પ્રધાને હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવતા શું કહ્યું?

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થતા દેશવિદેશના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવતા ટ્વીટ કર્યું, “માતાને ગુમાવવાથી વધુ મોટું નુકસાન કંઈ ના હોઈ શકે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાના નિધન પર તેમના પ્રત્યે મારી સહાનુભૂતિ.”

    તેમના સિવાય ભારતમાંથી તમામ રાજકીય પાર્ટીઓના રાજનેતાઓએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી છે.

  12. રાજનેતાઓએ હીરાબાને કેવી રીતે પાઠવી શ્રદ્ધાંજલિ

    વડા પ્રધાન મોદી

    ઇમેજ સ્રોત, ANI

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.

    તેમનાં નિધન પર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

    વડા પ્રધાન મોદી

    ઇમેજ સ્રોત, twitter

    રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનાં માતાજી શ્રીમતિ હીરાબાના નિધનના સમાચાર અત્યંત દુખદ છે. આ મુશ્કેલ સમયમાં હું તેમને અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.”

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના માતા હીરાબાના સ્વર્ગવાસની માહિતીથી અત્યંત દુખ થયું. મા એક વ્યક્તિના જીવનની પરમ મિત્ર અને ગુરુ હોય છે. જેને ખોવાનું દુખ નિસંદેહ વિશ્વનું સૌથી મોટું દુખ છે.”

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, “વિશ્વને એક હીરો આપનારા પેમાણ માતા. એક વૈભવી શતાયુ પ્રભુના ચરણોમાં... માતૃશ્રીના નિધન પર મારી સંવેદના. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.”

    બદલો X કન્ટેન્ટ, 3
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 3

    ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું, “માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાના દેવલોક ગમનથી ઊંડા દુખની લાગણી અનુભવું છું. તેઓ વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ૐ શાંતિ.”

    બદલો X કન્ટેન્ટ, 4
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 4

    ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું, “એક પુત્ર માટે મા સમગ્ર વિશ્વ હોય છે. માનું નિધન પુત્ર માટે અસહનીય અને પૂરી ન શકાય એવી ખોટ હોય છે. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાનું નિધન અત્યંત દુખદ છે. પ્રભુ તેમના પુણ્ય આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. ૐ શાંતિ.”

  13. ક્રિકેટર ઋષભ પંત રોડ અકસ્માતમાં ઘાયલ

    દુર્ઘટના બાદ ઋષભ પંતની કાર

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, દુર્ઘટના બાદ ઋષભ પંતની કાર

    ભારતીય ક્રિકેટર ઋષભ પંત ઉત્તરાખંડના રૂરકીમાં એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઋષભ પંતની કાર ડિવાઇડર સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ છે.

    વાઇરલ થયેલી અપુષ્ટ તસવીરો અનુસાર, પંતની કાર સંપૂર્ણ બળી ગઈ છે.

    આ દુર્ઘટનામાં ઋષભ પંતને ગંભીર ઈજા પહોંચી છે, તેમને માથામાં ઈજા થઈ હોવાના સમાચાર પણ મળ્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. ફૂટબૉલના જાદુગર પેલેનું નિધન

    બ્રાઝીલના મહાન ફૂટબૉલ ખેલાડી પેલેનું નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી કિડની અને પ્રોસ્ટેટની બીમારીથી પીડાતા હતા.

    21 વર્ષની લાંબી ફૂટબૉલ કરિયર દરમિયાન 1363 મુકાલબામાં તેમના નામે 1,281 ગોલ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ છે.

    તેઓ એકમાત્ર ફૂટબૉલ ખેલાડી છે, જેમણે ત્રણ વાર વર્લ્ડકપ જીત્યો હતો.

    1958, 1962 અને 1970માં વર્લ્ડકપ જીતનારી બ્રાઝીલની ટીમમાં તેઓ સામેલ હતા.

    તેમને વર્ષ 2000માં ફિફાના પ્લેયર ઑફ ધ સેન્ચુરીથી નવાજવામાં આવ્યા હતા.

    ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેમના આંતરડાની સર્જરી થઈ હતી અને એક ગાંઠ કાઢવામાં આવી હતી.

    તેમની સારવાર સાઓ પાઓલોની આઇન્સ્ટાઈન હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

    પેલે

    ઇમેજ સ્રોત, Getty Images

  15. હીરાબાના નિધન પર દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપી

    નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, ANI

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું નિધન થતા અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

    ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, "હીરાબાએ જે સંઘર્ષોનો સામનો કરતા પરિવારનું પાલનપોષણ કર્યું એ બધા માટે એક આદર્શ છે. તેમનું ત્યાગપૂર્ણ તપસ્વી જીવન સદા આપણી સ્મૃતિમાં રહેશે. આખો દેશ દુખની આ ઘડીમાં વડા પ્રધાન મોદીજી તેમજ તેમના પરિવાર સાથે ઊભો છે. કરોડો લોકોની પ્રાર્થના તમારી સાથે છે. ઓમ શાંતિ."

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    તો ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે લખ્યું, "એક પુત્ર માટે માતા આખી દુનિયા હોય છે. માતાનું નિધન પુત્ર માટે અસહ્ય અને અપૂર્ણ ક્ષતિ હોય છે. આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની પૂજ્ય માતાજીનું નિધન અત્યંત દુખદ છે."

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું અમદાવાદની યુએન હૉસ્પિટલમાં નિધન થયું છે.

    હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને 28 ડિસેમ્બરે યુએન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

    યુએન મહેતા હૉસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવ્યું કે તારીખ 30 ડિસેમ્બર વહેલી સવારે 3.30 વાગ્યે તેમનું નિધન થયું છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ પહોંચી ગયા છે.

  16. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું

    હીરાબાના નિધન પર મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કર્યું છે.

    તેમણે લખ્યું, "માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માતૃશ્રી પૂજ્ય હીરાબાના દેવલોકગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોનાં પ્રતિમૂર્તિ હતાં. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ."

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું અમદાવાદની યુએન હૉસ્પિટલમાં નિધન થયું છે.

    હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને 28 ડિસેમ્બરે યુએન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

    હીરાબાનાં ખબરઅંતર પૂછવા માટે 28 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હૉસ્પિટલમાં આવ્યા હતા.

    એ પછી હૉસ્પિટલ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું.

    જોકે યુએન મહેતા હૉસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવ્યું કે તારીખ 30 ડિસેમ્બર વહેલી સવારે 3.30 વાગ્યે તેમનું નિધન થયું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  17. હીરાબાનું અમદાવાદની યુએન હૉસ્પિટલમાં નિધન

    હીરાબા

    ઇમેજ સ્રોત, ANI

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું અમદાવાદની યુએન હૉસ્પિટલમાં નિધન થયું છે.

    હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

    હીરાબાનાં ખબરઅંતર પૂછવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અગાઉ હૉસ્પિટલમાં આવ્યા હતા.

    એ પછી હૉસ્પિટલ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં તેમની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું.

    જોકે યુએન મહેતા હૉસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવ્યું કે તારીખ 30 ડિસેમ્બર વહેલી સવારે 3.30 વાગ્યે તેમનું નિધન થયું છે.

    વડા પ્રધાને માતાના નિધન અંગે ટ્વીટ કર્યું છે, "શાનદાર શતાબ્દીનું ઈશ્વરનાં ચરણોમાં વિરામ... માતામાં મને હંમેશાં એ ત્રિમૂર્તિનો અનુભૂતિ થઈ છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે."

    "જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે કહેલી વાત હંમેશાં યાદ રહે છે- કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  18. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    29 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.