કોરોનાનું ફરીથી જોખમ : ભારતમાં આગામી 40 દિવસો મહત્ત્વના?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ભારતમાં કોરોનાને લઈને આગામી 40 દિવસ મહત્ત્વના હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોએ એએનઆઈને જણાવ્યું છે કે ભારતમાં આવેલી કોરોનાની લહેરોનું વિશ્લેષણ કર્યા બાદ સંબંધિત મૂલ્યાંકન કરાયું છે.
ચીન સહિત વિશ્વનાં કેટલાંક રાષ્ટ્રોમાં કોરોનાની નવી લહેર આવી હોવાના અહેવાલોને પગલે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહામારી સંબંધિત તૈયારીઓની સમિક્ષા પણ કરાઈ છે.
આ ઉપરાંત સંબંધિત બાબતે દેશભરની હૉસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન પણ કરાયું છે. આવી જ એક મોકડ્રિલ વખતે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલ પહોંચ્યા હતા.
આ દરમિયાન AIIMSના મહામારી રોગ વિશેષજ્ઞ ડૉ. સંજય કે. શાહે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે 'નવા કોવિડનો સંક્રમણદર વધારે છે અને સંક્રમિત વ્યક્તિ 10-18 લોકોને ચેપ લગાડી શકે છે. આ પહેલાંનો વૅરિયન્ટ પાંચથી છ લોકેને ચેપ લગાડી શકતો હતો. જેમને પહેલાં કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે કે જેમણે રસી લઈ લીધી છે એમને પણ ચેપ લાગી શકે છે.'







