વડોદરામાં BF.7નો કેસ, અમેરિકાથી આવેલ મહિલાનો રિપોર્ટ પૉઝિટિવ, તંત્રે શું કહ્યું?

ચીનમાં ઓમિક્રૉનના જે સબવૅરિયન્ટના કારણે એકાએક કોરોના કેસમાં ઉછાળો નોંધાયો છે. એ BF.7 સબવૅરિયન્ટનો વડોદરામાં એક પૉઝિટિવ કેસ નોંધાયો છે. વડોદરાના મ્યુનિસિપલે માહિતી આપી.

લાઇવ કવરેજ

  1. “ભારત જોડો યાત્રા” અંતર્ગત ફેબ્રુઆરીમાં કૉંગ્રેસ ગુજરાતમાં “હાથ સે હાથ જોડો” પદયાત્રા કાઢશે

    ભારત જોડો

    ઇમેજ સ્રોત, @BHARATJODO

    ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની અખબારી યાદી અનુસાર, કૉંગ્રેસ દ્વારા રાજ્યભરમાં “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આગામી ફેબ્રુઆરીમાં આયોજન કરવામાં આવ્યું છે.

    અમદાવાદમાં કૉંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત પ્રદેશના હોદ્દેદારોની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

    “ભારત જોડો યાત્રા” અંતર્ગત આગામી ફેબ્રુઆરી 2023થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

    કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 12 રાજ્યોમાંથી પસાર થશે, જેના અંતર્ગત “હાથ સે હાથ જોડો” પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.”

    ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, “150 દિવસની ‘ભારત જોડો યાત્રા’ લગભગ 3,500 કિલોમીટરનીનું અંતર કાપશે. રોજના 25 કિલોમિટર ચાલતી આ યાત્રાએ આજે 104 દિવસ પુરા કર્યા છે.”

    “આ યાત્રા રાષ્ટ્રને વિભાજિત કરી રહેલા આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ સામે અવાજ ઉઠાવી રહી છે અને કૉંગ્રેસના નેતાઓની સાથે લાખો લોકો આંદોલનમાં જોડાયા છે.”

  2. બ્રેકિંગ, વડોદરામાં BF.7નો કેસ, અમેરિકાથી આવેલ મહિલાનો રિપોર્ટ પૉઝિટિવ, તંત્રે શું કહ્યું?

    કોરોના કેસમાં ઉછાળો

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, કોરોના કેસમાં ઉછાળો

    ચીનમાં ઓમિક્રૉનના જે સબવૅરિયન્ટના કારણે એકાએક કોરોના કેસમાં ઉછાળો નોંધાયો છે. એ BF.7 સબવૅરિયન્ટનો વડોદરામાં એક પૉઝિટિવ કેસ નોંધાયો છે.

    વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પત્રકારપરિષદ સંબોધીને આ અંગે માહિતી આપી હતી.

    વડોદરામાં નોંધાયેલો કેસ 61 વર્ષીય મહિલાનો છે. આ મહિલા 11 સપ્ટેમ્બર 2022ના રોજ અમેરિકાથી આવી હતી. એક અઠવાડિયા બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

    મહિલા વિદેશમાંથી આવી હોવાથી તેમનાં સૅમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યાં હતાં. જેનું પરિણામ 21 ડિસેમ્બરે આવતાં BF.7થી સંક્રમિત હોવાનું પુરવાર થયું હતું.

    આ મહિલાએ કોરોના વૅક્સિનના ત્રણેય ડોઝ લીધા હતા અને હોમ આઇસોલેશનમાં રહીને સારવાર લીધી હતી.

    મહિલા હાલમાં ઘરે જ હોવાનું અને તેમની તબિયત સામાન્ય હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.

    આ દરમિયાન 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ' ગાંધીનગરના નિદેશક ડૉ. દિલીપ માવળંકરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “જેટલું વધારે સિક્વન્સિંગ થશે, તેટલી વધારે માહિતી બહાર આવશે કે આ વૅરિયન્ટ કેટલો જોખમી છે. પરંતુ ચીનમાંથી જે સમાચાર મળી રહ્યા છે, તે સારા નથી.”

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “એ પણ જોવાનું રહેશે કે આ નવા વૅરિયન્ટ સામે આપણી ભારતીય વૅક્સિન કેટલી કારગર છે. આ માટે તકેદારી તો રાખવી જ પડશે. કારણકે ચિંતાનું કારણ તો છે જ.”

  3. બ્રેકિંગ, કોરોના :ચીનમાં ફરીથી કેર મચાવનારા BF.7 વૅરિયેન્ટના બે કેસ ગુજરાતમાં નોંધાયા?

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images

    ચીનમાં કોરોનાની ત્રીજી લહેર માટે જવાબદાર કોરોનાના સબ વૅરિયન્ટ બીએફ.7ના ત્રણ કેસ ભારતમાં નોંધાઈ ચૂક્યા હોવાનું સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકીને 'એનડીટીવી' જણાવે છે.

    BF.7નો પ્રથમ કેસ ઑક્ટોબર મહિનામાં ગુજરાત બાયોટેકનૉલૉજી રિસર્સ સેન્ટરને મળી આવ્યો હતો. અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતમાં આ વૅરિયન્ટના બે કેસ નોંધાયા છે જ્યારે ત્રીજો કેસ ઓડિશામાં નોંધાયો હતો.

    આ દરમિયાન કોરોના વાઇરસના જોખમને જોતાં બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી, પરંતુ દેશ દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

    મનસુખ માંડવિયાએ કહ્યું, "કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસ વધતા આજે વિશેષજ્ઞો અને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી. કોવિડ હજુ ખતમ થયો નથી. મેં બધા સંબંધિત પક્ષોને સતર્ક રહેવા અને ચુસ્ત નિરીક્ષણ રાખવાના નિર્દેશ આપ્યા છે. અમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ."

    ચીનમાં કોરોનાની ગંભીર લહેર આવી છે અને તેના કારણે ભારતમાં પણ ચિંતા વધી ગઈ છે.ચીન સહિત જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

  4. ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું, “ચીનની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે"

    ડૉ. રણદીપ ગુલેરિયા

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ડૉ. રણદીપ ગુલેરિયા

    ચીનમાં કોરોના સંક્રમણના કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થતાં દુનિયાભરમાં ચિંતા વધી છે. ત્યારે ઍઇમ્સના પૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું, “શિયાળામાં વાઇરલ ઇન્ફૅક્શન વધી જાય છે. વધુ કાળજી રાખવાની જરૂર છે. જે વધુ જોખમ ધરાવતાં જૂથો છે, તેમણે બૂસ્ટર ડોઝ લેવા જોઈએ.”

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “આપણે જોઈ શકીએ છીએ કે કેસ ક્યાંય વધી રહ્યા નથી. પરંતુ આપણે સતર્ક રહેવાની જરૂર છે. યોગ્ય દેખરેખ રાખવાની જરૂર છે, જેથી જો કેસ વધે તો આપણે તેનું વહેલી તકે પરીક્ષણ હાથ ધરી શકીએ. જેથી તે જાણી શકાશે કે કોઈ નવો પ્રકાર આવી રહ્યો નથી અને વધુ ફેલાતો નથી.”

    ડૉ. આર. ગુલેરિયાએ કહ્યું હતું કે, “ચીનની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. કારણ કે અમારી રસીકરણની સ્ટ્રૅટેજી ખૂબ જ સફળ રહી છે, વધુ જોખમ ધરાવતાં જૂથના મોટા ભાગના લોકોએ બૂસ્ટર ડોઝ લીધા છે.”

  5. કોરોનાની સાવચેતી અંગે ડૉ. વી. કે. પૉલે શું કહ્યું?

    ડૉ. વી. કે. પૉલે

    ઇમેજ સ્રોત, AP

    ઇમેજ કૅપ્શન, ડૉ. વી. કે. પૉલે

    ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણનો કાળો કેર વર્તાઈ રહ્યો છે, ત્યારે બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

    કોવિડ અંગેની કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલે જણાવ્યું હતું કે, “માત્ર 27-28 ટકા લોકોએ કોરોનાની રસીનો ત્રીજો ડોઝ લીધો છે. અમે અન્ય લોકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરીએ છીએ. સાવચેતીનો ડોઝ ફરજિયાત છે અને દરેકને માર્ગદર્શન આપવામાં આવે છે.”

    વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, “જો તમે ભીડભાડવાળી જગ્યા, ઘરની અંદર કે બહાર હોવ ત્યારે માસ્કનો ઉપયોગ કરો. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો અથવા વધુ ઉંમરના લોકો માટે આ બધું વધુ મહત્ત્વનું છે. હજુ સુધી હવાઈ મુસાફરીને લઈને કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.”

  6. કોરોનાના નવા ખતરા પર થયેલી બેઠક બાદ આરોગ્ય મંત્રી શું બોલ્યા

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images

    કોરોના વાઇરસના જોખમને જોતા બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

    બેઠક બાદ તેમણે કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી, પરંતુ દેશ દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

    મનસુખ માંડવિયાએ કહ્યું, "કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસ વધતા આજે વિશેષજ્ઞો અને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી. કોવિડ હજુ ખતમ થયો નથી. મેં બધા સંબંધિત પક્ષોને સતર્ક રહેવા અને ચુસ્ત નિરીક્ષણ રાખવાના નિર્દેશ આપ્યા છે. અમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ."

    ચીનમાં કોરોનાની ગંભીર લહેર આવી છે અને તેના કારણે ભારતમાં પણ ચિંતા વધી ગઈ છે.

    ચીન સહિત જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

  7. 'ભારતે પૅનિક કરવાની જરૂર નથી, રસીકરણનો વિસ્તાર અને ટ્રૅક રેકૉર્ડ શાનદાર છે' - અદર પૂનાવાલા

    અદર પૂનાવાલા

    ઇમેજ સ્રોત, REUTERS/FRANCIS MASCARENHAS

    ઇમેજ કૅપ્શન, અદર પૂનાવાલા

    ચીનમાં કોરોના સંક્રમણને કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થતાં વિશ્વમાં ચિંતા વધી છે.

    ચીનમાં કોરોનાને કારણે લાખો મૃત્યુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ભારતમાં કોરોના વૅક્સિનની નિર્માતા કંપની સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું છે કે ચીનથી આવતા સમાચાર ચિંતાજનક છે પરંતુ ભારતે 'પૅનિક' કરવાની જરૂર નથી.

    અદર પૂનાવાલાએ કહ્યું કે, ''ભારતમાં રસીકરણનો શાનદાર વિસ્તાર અને ટ્રૅક રેકૉર્ડને જોતાં આપણે પૅનિક થવાની જરૂર નથી. આપણે ભારતની સરકાર તરફથી આપવામાં આવેલા દિશાનિર્દેશો પર ભરોસો કરવા અને તેમનું પાલન કરવાની જરૂર છે.''

    સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાએ કોવિડ વૅક્સિનનુ નિર્માણ કર્યું હતું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. ગાંબિયા : સમિતિએ કફ સિરપને કારણે કથિત મૃત્યુના મામલે ભારતીય કંપનીને દોષી ઠેરવી

    કફ સિરપ

    ઇમેજ સ્રોત, WHO

    આફ્રિકી દેશ ગાંબિયામાં સંસદની સમિતિએ કફ સિરપથી બાળકોનાં મૃત્યુના મામલામાં ભારતીય દવા કંપની પર મુકદ્દમો ચલાવવાની ભલામણ કરી છે.

    ભારતીય કંપની મેડન ફાર્માસ્યુટિકલ્સ પર તેમના બનાવેલા ચાર કફ સિરપથી 70 બાળકોનાં મૃત્યુનો આરોપ છે.

    સંસદની સમિતિએ કહ્યું કે આ મૃત્યુના મામલામાં દૂષિત દવાઓ નિર્યાત કરવા અંગે મેડન ફાર્માને જવાબદાર ઠેરવવી જોઈએ.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઑક્ટોબરમાં એક એલર્ટ જાહેર કરીને દવા વ્યવસ્થાપકોને કફ સિરપના વેચાણને રોકવાનું કહ્યું હતું જોકે મેડન ફાર્માએ આ આરોપોથી ઇનકાર કર્યો હતો.

    ભારતમાં ભારતીય પ્રયોગશાળાએ કહ્યું હતું કે સિરપની તપાસમાં જાણવા મળ્યું કે તેઓ "નિર્દેશોનું પાલન" કરી રહ્યા હતા. એક ભારતીય અધિકારીએ ગત અઠવાડિયે કહ્યું હતું કે, "વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કફ સિરપ પર દોષ મુકવાની ઉતાવળમાં હતું."

    અઠવાડિયાની તપાસ બાદ સંસદીય સમિતિએ હવે ભલામણ કરી છે કે પ્રશાસનને સખત પગલાં લેવાં જોઈએ જેમાં મેડન ફાર્માસ્યુટિકલ્સનાં બધાં ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવવો અને કંપની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી સામેલ છે.

    સમિતિએ કહ્યું કે, ''તેઓ માને છે કે મેડન ફાર્માસ્યુટિકલ્સ દોષી છે અને દૂષિત દવાઓ નિર્યાત કરવા માટે જવાબદાર ઠેરવવા જોઈએ.''

    સંસદીય સમિતિએ પણ ગત રિપોર્ટની જેમ જાણવા મળ્યું કે ચારો કફ સિરપમાં ડાઇથિલીન ગ્લાઇકોલ અને એથિલીન ગ્લાઇકોલની અનુચિત માત્રા હતી જેના કારણે મૃત્યુ થયું.

  9. કોરોનાના નવા ખતરાની ભારત પર કેવી અસર થશે? શું કહે છે નિષ્ણાતો?

    કોરોના વાઇરસનું ટેસ્ટિંગ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઍમ્સના પૂર્વ નિદેશક રણદીપ ગુલેરિયાએ કોરોના મહામારીએ નવા ખતરા અંગે કહ્યું કે ભારતમાં મહામારીનાં ત્રણ વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

    તેમણે હિંદુસ્તાન ટાઇમ્સ અખબારને કહ્યું કે કેટલાક દેશોમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ભારત માટે ખતરો કેટલો મોટો છે અને દેશ કેટલો તૈયાર છે.

    ભારતમાં કોવિડને લઈને ફરી ચિંતા વધી ગઈ છે કારણ કે પાડોશી દેશ ચીનમાં અત્યાર સુધી કોવિડની સૌથી મોટી લહેર આવી છે.

    ચીન સિવાય જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોના સંક્રમણના મામલા ઘણા ઝડપથી વધી રહ્યા છે.

    રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, '' જ્યારે મહામારીની શરૂઆત થઈ હતી ત્યારે વાઇરસ સામે લડવા માટે આપણી પાસે કોઈ ઇમ્યુનિટી નહોતી જેનાથી કેટલાક લોકોમાં ગંભીર સંક્રમણ થયું હતું. પરંતુ અત્યારે, મહામારીના ત્રણ વર્ષ પછી આપણે એવી સ્થિતિમાં છે જ્યાં પ્રાકૃતિક સંક્રમણ વધ્યું છે અને કેટલાક લોકો કેટલીક વખત સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે મોટાભાગની વસતીને વૅક્સિન પણ મળી છે.''

    ''વાઇરસ સામે લડવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ વધી છે અને આનાથી વાઇરસ ગંભીર રૂપથી બીમાર નથી કરી શકતો. પહેલાં આપણે આલ્ફા, બીટા અને ડેલ્ટા વૅરિયન્ટ્સ જોયા હતા પરંતુ છેલ્લા એક વર્ષમાં આપણે સતત ઓમિક્રૉન વૅરિયન્ટના અલગઅલગ પ્રકાર જોયા છે. કોઈ વૅરિયન્ટ એવો નથી જે પૂર્ણ રીતે અલગ જ હોય.''

    રોગપ્રતિકારક શક્તિ

    ઇમેજ સ્રોત, Getty Images

    તેમણે કહ્યું કે, '' જોકે આપણે સતર્કતા અને સક્રિયતા સાથે નિરીક્ષણની જરૂર છે કારણ કે આપણને નથી ખબર કે વાઇરસ કેવી પ્રતિક્રિયા કરશે. લાગે છે કે વાઇરસ સ્થિર અને હળવો થઈ ગયો છે. પરંતુ આપણે લોકોનાં મૃત્યુ અને હૉસ્પિટલમાં દાખલ થવાનાં કારણોની તપાસ કરવી પડશે.''

    કોવિડનો સામનો કરવા માટેના પડકારો વિશે વાત કરતા કહ્યું હતું કે, ''ચીન અને ઇટાલીમાં જેવી સ્થિતિ હતી તેને જોઈને લાગે છે કે ઓછી તૈયારી કરતાં જરૂર કરતા વધારે તૈયારીની જરૂર છે. આ રીત કારગત છે કારણ કે વૈજ્ઞાનિક, ક્લિનિક અને નીતિનિર્માતા એકબીજા સાથે જોડાયેલા હોય છે.''

    ડૉ ગુલેરિયાએ કહ્યું કે, '' આપણે પહેલાંથી જ લૉકડાઉન લાગુ કર્યું હતું જોકે કેટલાક લોકોએ તેના પર આપત્તિ વ્યક્ત કરી હતી. પરંતુ આનાથી જાગરૂકતા ફેલાવવા અને તૈયારી માટે સમય આપવામાં મદદ મળી. આ દરમિયાન અમે દર્દીઓને સંભાળવા માટે મૂળભૂત ઢાંચો બદલવા અને તૈયાર કરવા માટે ઘણું કામ કર્યું. આ કાંટાળો રસ્તો હતો પરંતુ અમે ઘણા પશ્ચિમી દેશો કરતાં સારું પ્રદર્શન કર્યું.''

  10. ચીનમાં 80 કરોડ લોકોના સંક્રમિત થવાની સંભાવનાથી ફફડાટ, ભારત સહિત વિશ્વમાં ચિંતા વધી

    ચીનમાં કોરોનાનો કહેર

    ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. ચીનમાં કોવિડની સૌથી મોટી લહેર આવી છે અને સંક્રમણ સતત વધી રહ્યું છે.

    ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે આવનારા દિવસોમાં ચીનમાં કોવિડ 19ને કારણે 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે. એનપીઆરની રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોનાથી મરનારાની સંખ્યા પાંચ લાખ થઈ શકે છે.

    જોકે હાલમાં ચીને જે મૃત્યુના અધિકારિક આંકડા આપ્યા છે તે આ સંખ્યાથી ઘણા ઓછા છે.

    ચીનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મંગળવારે ચીનમાં કોવિડને કારણે પાંચ જ્યારે કે સોમવારે માત્ર 2નાં મોત થયાં. જોકે મનાય છે કે ચીન જે પ્રકારે કોરોનાના મૃત્યુની ગણના કરે છે તે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માનકોથી વિપરીત છે. મોટેભાગે ચીન શ્વાસની બીમારીને કારણે થએલા મોતને જ કોવિડથી થએલું મોત ગણાવે છે.

    ચીન સિવાય, અમેરિકા, બ્રાઝિલ, જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ચીન સહિત દુનિયામાં કોરોના વાઇરસને કારણે ચિંતા વધતા ભારત પણ સતર્ક થયું છે.

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આરોગ્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી.

    કેન્દ્ર સરકારે રાજ્યોને કોવિડ પૉઝિટિવ સૅમ્પલ્સમાં જિનોમ સિક્વન્સિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે.

    મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવા વૅરિયન્ટની તપાસ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૅમ્પલ આઈએનએસએસીઓજી લૅબોરેટરીમાં મોકલવાનું કહ્યું હતું.

    કેન્દ્ર આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેેશ ભૂષણે કહ્યું હતું કે, "જાપાન, અમેરિકા, બ્રાઝિલ, કોરિયા અને ચીનમાં કોરોનાના કેસ વધતાં પૉઝિટિવ કેસનું સાર્સ-કોવ-2 જિનોમ કૉન્સોર્શિયમ નેટવર્ક મારફતે જિનોમ સિક્વન્સિંગ જરૂરી છે."

  11. ચીનમાં હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ, ત્રણ મહિનામાં ત્રણ લહેરની આગાહી

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ચીનમાં કોરોના વાઇરસે Hરી માથું ઊચક્યું છે અને ઠેકઠેકાણે કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે.

    સ્મશાનો બહાર મૃતદેહોની લાઇન લાગી છે, તો હૉસ્પિટલોમાં દરદીઓને રાખવાની જગ્યા નથી.

    આ વચ્ચે તજજ્ઞોએ ત્રણ મહિનામાં ત્રણ લહેરની આગાહી કરી છે. વીડિયો - જય શુક્લ

  12. રાહુલ ગાંધીને પત્ર -'ભારત જોડો યાત્રાથી કોરોના પ્રોટોકૉલનો ભંગ થઈ રહ્યો છે, નિયમોનું પાલન કરો નહીં તો યાત્રા બંધ કરો'

    ભારત જોડો યાત્રા

    ઇમેજ સ્રોત, TWITTER @BHARATJODO

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અને રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું છે કે "ભારત જોડો યાત્રાથી કોરોનાના પ્રોટોકૉલ તૂટી રહ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોના ઝડપથી વધી રહ્યો છે, એટલે કોરોના પ્રોટોકૉલનું પાલન થવું જોઈએ."

    એનડીટીવીના અહેવાલ અનુસાર પત્રમાં કહેવામાં આવ્યું છે કે "યાત્રામાં માત્ર વૅક્સિન લઈ ચૂકેલા લોકો જ ભાગ લે અને માસ્ક તથા સૅનિટાઇઝરનો ઉપયોગ કરવામાંં આવે. સાથે જ યાત્રામાં જોડાય તે પહેલાં અને પછી યાત્રીઓને આઇસોલેટ કરવામાં આવે. જો આ બધું સંભવ ન હોય તો દેશહિતમાં યાત્રાને સ્થગિત કરવામાં આવે."

    રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજસ્થાનથી હરિયાણા પહોંચી ગઈ છે. હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, વરિષ્ઠ નેતા રણદીપસિંહ સુરજેવાલા, દિપેન્દ્રસિંહ હુડ્ડા, પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઉદયભાન સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ યાત્રાનું રાજ્યમાં સ્વાગત કર્યું. આ યાત્રા 23 ડિસેમ્બર સુધી રાજ્યના અલગઅલગ વિસ્તારોમાંથી પસાર થશે.

    હરિયાણાના નૂંહમાં એક સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે "દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડત કોઈ નવી વાત નથી, આ હજારો વર્ષોથી ચાલે છે. રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આજેે લડાઈ બે વિચારધાર વચ્ચે છે. એક વિચારધારા પસંદગીના લોકોને જ લાભ અપાવે છે જ્યારે બીજી અન્ય લોકો, ખેડૂતો, મજૂરોનો અવાજ ઉઠાવે છે...અને આ લડાઈમાં કૉંગ્રેસ પાર્ટીની એક ભૂમિકા છે...."

  13. રાજકોટના ફેશન શૉમાં છવાઈ 'બ્લાઇન્ડ એન્ડ બ્યુટીફૂલ' મૉડલ્સ

  14. તાલિબાનોએ મહિલાઓ માટે યુનિવર્સિટીઓ બંધ કરી

    મહિલાઓ

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    અફઘાનિસ્તાનમાં સ્કૂલ શિક્ષણ બાદ હવે છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

    અફઘાનિસ્તાનના ઉચ્ચ શિક્ષણમંત્રીના પત્ર અનુસાર, તાલિબાને દેશની યુનિવર્સિટીઓમાં કન્યાશિક્ષણ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

    મંત્રીનું કહેવું છે કે આગામી સૂચના સુધી આ આદેશ લાગુ રહેશે. તેને જલદી લાગુ કરાશે.

    આ પગલું ઔપચારિક શિક્ષણથી મહિલાઓને વંચિત રાખી શકે છે, કેમ કે તેમને પહેલેથી મોટા ભાગની માધ્યમિક શાળાઓમાંથી બાકાત રાખવામાં આવી છે.

    કાબુલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ બીબીસીને જણાવ્યું કે આ સમાચાર સાંભળ્યા ત્યારથી તે રડી રહી છે.

    ત્રણ મહિના પહેલાં અફઘાનિસ્તાનમાં હજારો છોકરી અને મહિલાઓ યુનિવર્સિટીની પ્રવેશપરીક્ષામાં ભાગ લીધો હતો. પરંતુ છોકરીઓ જે વિષય ભણતી હતી તેના પર વ્યાપક પ્રતિબંધ લાદ્યો હતો.

    પશુ ચિકિત્સા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, અર્થશાસ્ત્ર અને પત્રકારત્વ જેવા વિષય પર કડક પ્રતિબંધ લાદ્યા હતા.

    ગયા વર્ષે તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા બાદ યુનિવર્સિટીઓમાં છોકરા અને છોકરી માટે અલગ વર્ગખંડો અને પ્રવેશદ્વારની શરૂઆત કરી હતી.

    વિદ્યાર્થિનીઓને માત્ર મહિલા પ્રોફેસરો અથવા વૃદ્ધ પુરુષો જ ભણાવી શકે છે.

    તાજેતરના પ્રતિબંધનો પ્રતિભાવ આપતાં યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ બીબીસીને કહ્યું કે તેમને લાગે છે કે તાલિબાન મહિલાઓ અને તેમની શક્તિથી ડરે છે.

    વિદ્યાર્થિનીએ કહ્યું કે "તેમણે મારા ભવિષ્ય સાથે જોડનારો એકમાત્ર રસ્તો બંધ કરી દીધો છે."

    ઉલ્લેખનીય છે કે તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાનનું શિક્ષણ ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

  15. એલન મસ્ક ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપશે

    એલન મસ્ક

    ઇમેજ સ્રોત, Jonathan Raa/NurPhoto via Getty Images

    ટ્વિટરના નવા સીઈઓ એલન મસ્કે કહ્યું કે તેઓ ટ્વિટરના CEO પદ પરથી રાજીનામું આપી દેશે.

    તેમણે ટ્વીટ કર્યું કે જ્યારે તેમને આ "નોકરી માટે લાયક મૂર્ખ" મળી જશે ત્યારે તેઓ ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે રાજીનામું આપી દેશે.

    અબજોપતિએ અગાઉ ટ્વિટર પર પોલ દ્વારા જાણવા માગ્યું હતું કે તેમણે ટ્વિટરનું સીઈઓનું પદ છોડી દેવું જોઈએ કે નહીં.

    તેમણે એમ પણ લખ્યું હતું કે જે પણ પરિણામ આવશે તેનું પાલન કરશે.

    આ પોલ પર 57.5% વપરાશકર્તાઓએ તેમને આ ભૂમિકા છોડવા માટે "હા" કહ્યું હતું.

    તેમનું કહેવું છે કે તેઓ સોફ્ટવેર અને સર્વર્સ ટીમો ચલાવશે.

    એલન મસ્કે ટ્વિટર ટેકઓવર કર્યા પછી પ્લૅટફૉર્મ પરના ફેરફારોની ખૂબ ટીકા કરવામાં આવી છે.

    એલન મસ્ક ટેસ્લા અને સ્પેસ એક્સ પણ ચલાવે છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    20 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.